SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હારે તૃપ્ત કરે. એ પ્રમાણે તે ચગીનું વચન માન્ય કરી તેને પ્રણામ કરા તેની આજ્ઞા લઈ બંધુરાજ પિતાના ઘેર આવ્યા. મુનિના કહ્યા પ્રમાણે ધર્મને પણ પાળતે છતે તે મેગીનું વચન પણ માન્ય કરી તે પ્રમાણે વર્તવા ચેટકબલ. લાગ્યું. ત્યારબાદ બંધુરાજને ચેટકનું બહુ બલ થઈ પડયું, તેથી જેઓ પિતાનું વચન માનતા નથી, કોઈ પણ માગેલી વસ્તુ જેઓ આપતા નથી, જેઓ ગર્વ કરી પોતાનાથી વિપરીત ચાલે છે, તેમજ જેઓ દુર્વચન બોલી પિતાનું અપમાન કરે છે એવા તે સર્વલોકેને ચેટક પાસે દઢ બંધને વડે બંધાવીને બધી ખાને નંખાવે છે. પરંતુ તેનું તે કાવિતરું કઈ પણ જાણી શક્તા નથી. આ પ્રમાણે કરવાથી લેકે બહુ ભયભીત થઈ ગયા. હમેશાં આવા વ્યસનમાં પડેલા બંધુરાજને જોઈ એક દિવસ તેનાપિતાએ કહ્યું કે હે પુત્ર! આપણું પૂર્વજોએ પિતાને ઉપદેશ. તે બંધનમાં પડેલા પ્રાણીઓને પણ મુક્ત કર્યા છે, પરંતુ કેઈને બંધન ગૃહમાં પુર્યાનથી. કારણકે બંધન એ પ્રથમ વ્રતને પહેલે અતિચાર છે એ પ્રમાણે ગુરૂ મહારાજે હને કહેલું છે. માટે હે વત્સ! ગુરૂ સમક્ષ પોતે અંગીકાર કરેલા વ્રતને તું કેમ મલિન કરે છે? વળા બંધનથી છુટ થએલે કઈ પણ પુરૂષ વેરને લીધે કઈ પણ પ્રકારે હારા શરીરનું નુકશાન કરશે” એમ જાણું હારું હૃદય બહુ પીડાય છે. માટે હે વત્સ ! મહારૂં તેમજ ગુરૂનું અથવા જીતેંદ્ર ભગવાનનું વચન તું જે માનતા હોય તે આ પ્રાણુઓના બંધનરૂપ તુચ્છ પ્રવૃત્તિને ત્યાગ કર અને આ સાથે ત્યારે એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું કે જીરેંદ્ર ભગવાને કહેલા અહિંસાવ્રતને ગ્રહણકરીને જે પુરૂષ તેથી ભ્રષ્ટ થાય છે તેઓ વધ બંધનાદિક અનેક દુ:ખને સ્વાધીન થઈ ઘેર સંસારમાં પરિભ્રમણ કરે છે. કેમકે સ્વલ્પ માત્ર પણ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy