SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાંથી ખાટા રસનું જ આકર્ષણ કરે છે અને તે આસ્ફરસ તેના ફળમાંજ આવે છે એમ નહીં, પરંતુ તેના પત્ર વિગેરેમાં પણ ઓતપ્રોત સ્થિતિ કરી અળગે થતો નથી. તેમજ શેરડીનું બીજ રોપવાથી સાંઠારૂપ બની તે કેવળ મિષ્ટ રસનો જ ઉત્પાદક થાય છે. વળી મરચાંનું બી તીખારસનું આકર્ષણ કરે છે. કાચકાનું બી કડવાસનું આકર્ષણ કરે છે અને દ્રાક્ષને છોડવે મધુર રસમય સ્વાદિષ્ટ ફલેને પ્રગટ કરે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે દરેક બીજેના અવયવોમાં વ્યાપી રહેલી કઈ અપૂર્વ શક્તિ જમીનમાં સંકીર્ણપણે રહેલા પાર્થિવ રસની વિભિન્નતા કરી તેઓ પોતપોતાને ઉચિત રસોનું આકર્ષણ કરે છે. જમીન, માટી કે જડ વસ્તુ વિગેરે ભિન્ન ભિન્ન નામોથી પૃથ્વી ઓળખાય છે. અને તે પૃથ્વીમાં અપેક્ષાયે દરેક રસે સ્થાયી ભાવે રહેલા છે. એથી જ સંસ્કૃતમાં એને “રસાએવું યથાર્થ ગુણયુક્ત નામ આપવામાં આવ્યું છે. તે દરેકની સાથે વ્યાપક તરીકે સંબંધ ધરાવે છે. વળી આ સંબંધિ વિશેષ જીજ્ઞાસા માટે બીજું ઉદાહરણ રંગનું લેવા જેવું છે. વાદળીને પીત રંગ મળવાથી આધુનિક લેકની બુદ્ધિ પ્રમાણે લીલે રંગ બને છે. કિરમજી અને તરંગના મિશ્રણથી ગુલાબી રંગ પ્રગટ થાય છે. પીત અને લાલના સંયોગથી નારંગી રંગ થાય છે. આ પ્રમાણે દરેક રંગનો આવિર્ભાવ કહી શકાય છે, પરંતુ વેતવર્ણ ક્યા રંગના મિશ્રણથી થાય છે ? તેને વિચાર પણ મને ભાવમાં આવતું નથી. તેમ છતાં વસ્તુતઃ વિચારીએ તે સર્વ રંગેનું મિશ્રણ એજ “વેત રંગનું સ્વરૂપ ગણાય છે. કારણકે નિશ્ચય નયની અપેક્ષાએ વિચાર કરવાથી દરેક રંગોમાં દરેક રંગે ગૌણપણે રહેલા હોય છે. તેમાં અધિક આશ્ચર્ય જનક વૃત્તાંત તો એ છે કે સર્વે રંગે સમાન પણે એકઠા કરવામાં આવે તે ભવેત રંગ તૈયાર થાય છે, એ વાત સર્વથા સત્ય માલુમ પડે છે. જેમકે સૂર્યના કિરણો સફેદ જોવામાં આવે છે, પરંતુ તેના પ્રકાશના કિરણોને પાસાદાર કાચનું બ્લેક મૂકી પ્રથક્કરણ કરીએ છીએ તો તેમાં સૂર્યના કિરણે વિભિન્ન રૂપે પ્રગટ થાય છે. અને તેમાં લાલ, પીળો, વાદળી અને જાંબુડી વગેરે સાતે રંગે સ્પષ્ટપણે દેખાવ દે છે. આ બાબતમાં હાલના વિદ્યાથીઓ પણ અજ્ઞાત નથી હતા. આ ઉપરથી તડકાને કવેત વર્ણ પણ ભિન્ન ભિન્ન For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy