SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૮૯) એટલે પ્રણામ કરી તે પોતાના સ્વામીએ મોકલેલી આજ્ઞા પત્રિકા તેને બતાવી. રાજાએ પોતે ઉભા થઈ બે હાથે તે લેખને મસ્તકે વધાવી લઈ સિંહાસન ઉપર મૂક્યું. ત્યારબાદ વિસ્મિત થએલા સર્વ લોકે સહિત રાજાતે લેખને પંચાંગ નમસ્કાર કરી તેને ખુલ્લો કરી વાંચવા લાગ્યો. શ્રી મંગલપુર નગરથી લેખક સુપ્રસિદ્ધ જયસિંહ રાજા, તત્ર શ્રી હસ્તિનાપુર નગરમાં વિરાજમાન સમસ્ત નૃપચકને પ્રચંડ પ્રતાપવડે સ્વાધીન કરતા એવા શ્રી વિજયચંદ્ર નરેંદ્રને નેહપૂર્વક સ્મરણ કરી પોતાના હૃદયનો અભિપ્રાય ગગ કંઠે જણાવે છે કે જેમ ક્ષીણ થયેલે સમુદ્ર શુકલ પક્ષમાં મોટા તરંગને અનુભવે છે. તેમ સંપુરૂષ પણ આપત્તિ પામીને ફરીથી વિશાલ સમૃદ્ધિવાળા થાય છે. તેમજ આપત્કાલમાં ફસાએલા મહા પુરૂષે લેકમાં હાસ્ય પાત્ર થતા નથી, કારણકે હસ્તિઓ બંધનમાં પડેલા હોય છે તોપણ તેઓ રાજ્યસ્થાનમાં શોભાકારક થાય છે. હે વત્સ ! એ સર્વ વચનો પણ હું વિષમ રથાનમાં રહીને દેવતાઓને કિંકર સમાન કરી રાજ્યશ્રી મેળવીને સત્ય કર્યા. પરંતુ હારી રાજ્ય સંપત્તિ સાંભળવાથી મહારાં નેત્રે મહારા હૃદયને કાનની ઈષ્યને લીધે જાણે નચાવી રહ્યાં હોયને શું ? એમ જણાય છે. વળી હે વત્સ! અશ્વારૂઢ થઈ અહીંથી તું નીકળે અને વિપરીત શિક્ષિત અશ્વ હને ઉલટે માગે લઈ ગયે તે વાત સાંભળી અમે એ સર્વ ઠેકાણે શોધ કરાવ્ય; પરંતુ કોઈપણ સ્થલે ત્યારે પત્તે મળે નહીં, તેથી હારા વિરહરૂપી અગ્નિ મહારા હૃદયરૂપી ઉદ્યાનમાં પ્રજ્વલિત થયે, અને તેથી તેણે સુખરૂપી નવ પલ્લવડે વિભૂષિત, વિશાળ આશા અને તૃષ્ણારૂપી પુપિોથી ભરપુર, નિર્મલ પુણ્યરૂપી ફલોથી વ્યાસ અને વિવેકરૂપી ઉત્તમ રસાલ એવા વૃક્ષેની સમૃદ્ધિવાળો મહારો હદયરૂપી તે બગીચો બાળીને ભસ્મ કર્યો. વળી હે પુત્ર! રાજ્યના સર્વ ૧૯, For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy