SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી તિલકમંત્રી કથા. (૨૬૭) સમજી મંત્રી મુનિ પાસે ગયો અને વિનયપૂર્વક પર્યાલચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. તેમજ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરી સારી રીતે પાળવા લાગે. આ પ્રમાણે મંત્રીની સમ્પ્રવૃત્તિ રાજાના જાણવામાં આવી તેથી રાજાએ તેને ક્ષમાવીને સર્વ ધન પાછું આપ્યું. બંધીખાને રહેલા તે ઘાતકી પરિવ્રાજકે પણ રાજાની આ ગળ પ્રાર્થના કરી જણાવ્યું કે વૈરાગ્યને લીધે નીલરાજાને શિક્ષા. હાલ ભાવ દીક્ષા ગ્રહણ કરી છે, માટે હવે આપ જેમ એગ્ય લાગે તેમ કરવા શક્તિમાન છો. રાજાએ તેની નમ્રતા જોઈ ભલેને બોલાવી કહ્યું કે આ પરિવાજકના હાથ સજજ કરી તેને છેડી મૂકો. વળી ફરીથી રાજાએ જણાવ્યું, કે મરતો માણસ પોતાના બચાવ માટે આ પ્રમાણે બેલે છે, પરંતુ મહે એને ધર્મનિમિત્તે મુક્ત કર્યો છે, ત્યારબાદ રાજાએ વિચાર કર્યો કે આ સર્વે અનર્થનું મૂલ કારણ તો નીલરાજા છે માટે પ્રથમ શિક્ષા નીલરાજાને આપવી જોઈએ. પરંતુ હું પિતે તેને પકડવા જઈશ તે પરસ્પર યુદ્ધ થવાથી બહુ પ્રાણીઓને વધ થવા સંભવ છે. એમ જાણી નલરાજાએ પ્રથમ મૃગનું સ્વરૂપ લઈ જે યક્ષ આવ્યા હતા તેનું હૃદયમાં સ્મરણ કરી પિષધશાલામાં અષ્ટમ તપનો પ્રારંભ કર્યો. યક્ષે નલરાજાને અભિપ્રાય જાણું નીલરાજાને બાંધી લાવી નરેંદ્રની આગળ ઉભે કર્યો, અને કહ્યું કે હે સ્વામિન? આપનું અનિષ્ટ કરવા જેણે પરિવ્રાજકને મોકલ્યા હતે તે આ નીલરાજા છે. ત્યારબાદ નલરાજાએ નીલને કહ્યું કે હવે હારી શી દશા થશે ? નીલરાજા બોલ્યા, મહારાજ આપના ચરણકમળનાં દર્શન થયાં છે, માટે હવે જેમ થવું હોય તેમ ભલે થાય, કેમકે કઈ પ્રકારની હવે હુને ચિંતા નથી. એ પ્રમાણે તેની નમ્રતા જોઈ રાજાએ બંધનથી નિમુક્ત કરી તેનું For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy