SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ઉપર જે હારૂં વૈર હતું તેને હે સર્વથા ત્યાગ કર્યો છે. તેમજ હે મુનીંદ્ર ! આપના પ્રભાવથી હવે કનકરથ રાજા ઉપરથી પણ મહારે ક્રોધ ઉતરી ગયો છે. મુનીંદ્ર બોલ્યા- હે રાક્ષસ! ઉપકાર જાણ ક્રોધની પરિણતિને આ ઉપદેશ ખાસ હારા માટેજ આપે છે. અન્યથા તે ઉપકાર મેહપ્રકૃતિને આધીન થએલા પ્રાણુઓ ઉપર થતું નથી. વળી અતિ ભયંકર મિથ્યાવના પ્રભાવથી સમ્યક્ત્વમાં પણ જીવાત્માઓને દુરંત અતિચારે પ્રાપ્ત થાય છે, તે અતિચાર સેવવાથી ભવાંતરમાં દારૂણ દુ:ખની પરંપરાઓ ઉત્પન્ન થાય છે અને જેઓના ભોકતા બની પ્રાણીઓ વારંવાર જન્મ, મરણ અનુભવે છે. એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી કુમાર બોલ્યા, સ્વામિન્ ! આપનું વચન સત્ય છે, તેટલામાંજ ગરવ કરતા તે હસ્તી ત્યાં આવ્યા. મન્મત્ત એવા તે ગજેને જોઈ સમસ્ત સભ્યજને સુમિત થઈ ગયા. કુમાર ગજેને શાંત કરવાના મિષથી ચાટુ વચન બેલી વિલાસ કરવા લાગે. એટલે હસ્તી શાંત થઈ પોતાની સુંઢ સંકુચિત કરી સ્થિર ઉભે રહ્યો, ત્યાર બાદ તે હસ્તીએ સભ્યજન સહિત મુનીંદ્રની ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતવડે મનને નમસ્કાર કર્યો, પછી હસ્તીનું સ્વરૂપ ત્યાગ કરી ચંચળ કુંડલધારી તે યક્ષ પ્રગટ થયે. ત્યારબાદ મુનિ પતિ બેલ્યા, હે યક્ષ! પોતાના પિત્ર એવા આ કનકરથરાજાને માટે આ કુમારને અનુસરી ગજેંદ્રરૂપ ધારણ કરી તું અહીં આવ્યા છે. પ્રથમ પણ કનકરથરાજાની રક્ષા માટે કુમાઅને તું અહીં લાવ્યું હતું. વળી હાલમાં કુમારને પિતાના નગ૨માં, પહોંચાડવા માટે ત્યારે ઉત્સાહ છે. એ પ્રમાણે સત્ય હકિકત સાંભળી યક્ષ બોલ્યા, સ્વામિન ! આપે જે વૃત્તાંત કહ્યું તે સત્ય છે. આ કનકરથરાજા પૂર્વભવમાં મહારો પિત્ર હતું. હે ભગવન્ ! વળી આપને હારે જણાવવાનું છે કે પ્રથમ મહે સભ્યત્વવ્રત For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy