SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આવી અસહ્ય દુ:ખ પરંપરાને સહન કરે છે. આ પ્રમાણે કનકવતીનું વચન સાંભળી કુમાર બે, હે કમલાક્ષિ ! દેવની માફક આ વૈરી પણ દષ્ટિમાં આવતું નથી, એટલે એમાં પુરૂષ શું કરી શકે ! એમ કહી કુમાર સાવધાન થઈ રાત્રીએ બેઠે હતે. તેટલામાં તે દુષ્ટ વિધાધર ત્યાં આવે એટલે તરતજ કુમાર તેના બને ચરણ પકડીને આકાશમાં ભમાવી પૃથ્વી પર પછાડવાની તૈયા માં હતું તેટલામાં દીન મુખે પિકાર કરી તે બોલ્યા, હે કુમારેંદ્ર! હારું રક્ષણ કરે!રક્ષણ કરે! સમગ્ર અપરાધેની હું ક્ષમા માગું છું, ફરીથી આ પ્રમાણે અપરાધ નહીં કરું. હવે હું આપને કિકર છું, આ પ્રમાણે તેનાં દીન વાકય સાંભળી કુમારને દયા આવી. તેથી તેણે તે વિદ્યાધરને છેડી દીધે. કારણકે સત્પષે દીનજને ઉપર કૃપાલુ હોય છે. ત્યારબાદ ફરીથી પણ તે બન્ને સ્ત્રીપુરૂષ કુળપતિના આશ્રમમાં ગયાં. અને કેટલાક દિવસ તેઓ તાપસોના સ્નેહથી ત્યાં રહ્યાં. ત્યાં કનકવતી તાપસીઓની સાથે પ્રેમપૂર્વક વિવિધ પ્રકારની કીડાઓ કરતી હતી અને કુમારને સમય કુલપતિ પાસે ધર્મશાસ્ત્ર સાંભળવામાં જતો હતે. એક દિવસે કુમાર કુલપતિની પ્રાર્થના કરવા લાગ્યો. હે પ્રભો ! હારૂં સર્વ દુ:ખ ઉત્સાહ પૂર્વક કલપતિની આપના દર્શન કરવાથી નિવૃત્ત થઈ ગયું છે, પ્રાર્થના. અન્યથા વિકાભેજી એવો ડુક્કર ક્યાં ? અને દહી ભાતનું ભોજન કયાં? કારણકે વિષયેથી ઘેરાયેલે હું કયાં? અને આપના ચરણની સેવા ક્યાં ? આપને સમાગમ બહુ દુર્લભ છે. પરંતુ હાલમાં હારા પિતાને બહુ ચિતા થતી હશે. માટે આગળ ઉપર આપની કૃપાથી આ જન આપના વચનામૃતને ભેગી થશે. ત્યારબાદ કુલપતિએ કહ્યું, વિનયગુણના કુલભવનરૂપ છે કુમાર! હારૂં ચિરકાલ આયુષ થાઓ. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy