SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra થપમાલા કા. www.kobatirth.org ( ૧૨૯ ) સમાન છે તેમ છતાં તમે તે કન્યાનુ માગણ ન કર્યું એ તમ્હારી બહુ મ્હોટી ભૂલ ગણાય, હવે જો લલિતાંગ રાજા તે કન્યારત્ન આપણને નહિ આપતાં બીજા કેાઈ રાજાને આપશે તે રત્નના નિધિ બતાવી આપણાં નેત્ર ઉખાડી લીધાં એમ ગણાશે. ત્યારે અમરગુરૂ ખેલ્યા, નરેંદ્ર ! તે કન્યા આપના વિના બીજા કેાઈને આપવાની નથી, કારણકે એક વર્ષ પછી તે કન્યા તમનેજ વરવાની છે એમ તે કન્યાએ પેાતેજ કહ્યુ છે. રાજાએ કહ્યુ, આ વાત સાંભળી મ્હારાં નેત્ર તે કન્યાના દનામૃતના સ્વાદ લેવા અતિ લંપટ બની ગયાં છે, જેથી ક્ષણમાત્ર પણ હવે મ્હારાથી અહીં રહી શકાય તેમ નથી. તેથી તે કન્યાની માગણી કરવા માટે જલદી તમે ત્યાં જાઓ, અને હું પણ અન્ય વેશ ધારણ કરી . તમ્હારા સ્થગિધર અઈને અક્ષિતપણે તમ્હારી સાથે આવું છું, એમ વિચાર કરી સન્ય સહિત તેઓએ વિશાલા નગરી પ્રત્યે પ્રયાણ કર્યું અને અનુક્રમે સિંહદ્વારમાં જઈ ૫હોંચ્યા. પ્રતીહારીએ રાજાને જણાવ્યું કે કુણાલા નગરીથી અમર ગુરૂ આવ્યા છે. નરેદ્રની આજ્ઞાથી રાજસભામાં અમરગુરૂએ તરતજ પ્રવેશ કર્યા. લલિતાંગ રાજાએ બહુ સ્નેહથી તેને આલિ ગન કરી ચેાગ્ય માસને બેસાડી અરિકેસરી રાજાનું કુશલ વૃત્તાંત પુછ્યુ. ત્યારબાદ રાજાએ અમરગુરૂને જણાવ્યુ કે જલદી પાછુ અહીં આવવાનું શું કારણ ? અમરગુરૂ ખેલ્યે, આપની પુત્રીના ગુણા તેમજ એક વર્ષ પછી તે લગ્ન કરશે. એ પ્રમાણે મ્હારા મુખથી સાંભળી અરિકેસરી રાજા ઘણાજ ઉત્સુક થયા છે, રાજન્! ઘણું શું કહેવું ? જો આ કન્યારત્ન તેમની ઢષ્ટિગેાચર નહીં થાય તા જરૂર તે પ્રાણ છેડી પરલેાક ચાલ્યા જશે, એવી કી e અરિકેસરી અને લલિતાંગના સમાગમ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy