SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધર્મદેશના. (૧૧૫) ળથી વ્યાપ્ત થએલા, ક્રોધરૂપી પ્રચંડ વડવાનલથી તપ્ત થએલા, રાગરૂપી કાદવમાં ખુંચી ગએલા, મિથ્યાત્વરૂપી મોટા મા (માછલાં) થી ભય પામેલા, અને કલેશરૂપી જલમાં ડુબી ગએલા એવા પ્રાણીઓને અનાદિ અપાર એવા આ ભવસાગરમાં ઉત્તમ કુલજાતિ વિગેરે સદગુણોથી વિભૂષિત મનુષ્ય ભવરૂપી યાનપાત્ર મળવું બહુ દુર્લભ છે. વળી કંચિત્ મનુષ્ય ભવરૂપી હાણ પામીને પણ હેને ચલાવનાર સારે કર્ણધાર (નાવિક) ન મળે તો તેમાં જ તે ડુબી જાય છે, તે પછી ફરીથી તેને તારવા માટે કિણ સમર્થ થાય ? હવે તે કર્ણધાર બે પ્રકારના હોય છે. કેટલાક ભવસમુદ્રમાં પડીને કુતીર્થોના માર્ગે ચાલનાર તેમજ સારા માર્ગથી વિમૂઢ હોય છે. વળી બીજા કેટલાક કર્ણધારો આ ભવસાગરના રસ્તે પ્રયાણ કરતાં સમસ્ત વિઘોને દૂર કરવામાં સમર્થ અને દ્વીપાંતમાં શંબલ (ભાનુ) સંપાદન કરવામાં બહુ શક્તિવાળા હોય છે. માટે જે ખરેખર પરીક્ષા કર્યા વિના પ્રથમ પ્રકારના કર્ણધારેના વચન ઉપર વિશ્વાસ રાખી જીવાત્મા પિતના માનવદેહરૂપી યાનપાત્રને ચલાવે છે તે ત માનરૂપી મઘરમચ્છાથી ખલિત થઈ મસરરૂપી ગ્રાહ (કુંડ) ના મુખમાં સપડાય છે. વળી માયારૂપી વિસ્તાર પામેલી વેલીઓના ગાઢ વનમાં અત્યંત ગુમ થયેલું, ભરૂપી મહા ગિરિના ઉન્નત શિખરો સાથે અથડાવાથી વિશેષ જીર્ણ થયેલું, બહુ પ્રબળ કામરૂપી તરંગમાં પડેલું હોયને શું ? તેમજ મેહરૂપી પર્વતની મોટી ગુહામાં નિવાસ કર્યો અતિ દુનિ વાર ઇદ્રિરૂપી ચોથી હુંટાતું, ક્રોધરૂપી વડવાનલની વિકરાળ જવાલાઓથી વ્યાસ, રૈદ્રધ્યાનરૂપી ભીવડે હરણ કરાતું, તીવરાગરૂપી ગ્રાહાએ પ્રસારેલી એવી ઉગ્ર શૃંગારરૂપ દંષ્ટ્રાઓથી ગ્રહણ કરાયેલું અને વિષયરૂપી ભયંકર વિષધારી સેંકડે સર્પો વડે વીંટાયેલું હાયને શું? તેવી રીતે અનેક વિશોમાં પડેલું, For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy