SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નિશ્ચલ, પવનની માફક સર્વત્ર પ્રતિબંધ રહિત, તેમજ શુક્લ ધ્યાનરૂપી અગ્નિવડે સમસ્ત ઘનઘાતિ કર્મરૂપી વનને દહન કરતા, પવનના અભાવને લીધે સ્થિર રહેલા સાગરની લીલાને વહન કરતા અને શુક્લ ધ્યાનના છેલ્લા બે ભેદ નહીં પામેલા એવા જગત્ સ્વામી શ્રી સુપાર્શ્વ પ્રભુને ફાગુન કૃષ્ણ પછીના દિવસે પૂવન્ત કાલમાં તુલારાશિને ચંદ્ર અને ઉત્તમ મુહૂર્ત પ્રવૃત્ત થયે છતે નિબંધ, અનંત, પરિપૂર્ણ, નિરાવર્ણ, ભૂત ભવિષ્ય અને વર્તમાન ભાવને અવલેકવામાં નેત્ર સમાન તેમજ લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે પિતાનું આસન કંપવાથી અવધિજ્ઞાનવડે ઈંદ્ર જાયું કે આનંદ્ર ભગવાનને કેવલજ્ઞાન ઉ સમવસરણ. પન્ન થયું તેથી તે ઉભે થઈ સાત આઠ ડગલાં પ્રભુની સન્મુખ ગમન કરી ભક્તિભાવથી નમી ગએલા મસ્તકવડે ભગવાન શ્રી સુપાર્વ તીર્થકરને નમસ્કાર કરીને ઇંદ્ર પોતાના સેનાપતિને આજ્ઞા કરી કે હે ભદ્ર? જલદી સૌધર્મ સભામાં જઈને શાવતી ઘંટા વગડા, તેમજ ત્રણ વાર ઘોષણા કરાવી જાહેર કરા કે ભરતક્ષેત્રમાં સાતમા જીનેવરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી ત્યાં ઇંદ્રને જવાનું છે માટે હે દેવો ? પોતપોતાના પરિવાર સહિત જલદી અહીં આવે. આ પ્રમાણે ઈન્દ્રની આજ્ઞા ગ્રહણ કરીને સેનાપતિ તત્કાલ સૌધર્મ સભામાં ગયો અને શાશ્વતી ઘંટા વગડાવી. જેના ગંભીર મહાનાદના આસ્ફાલન થી મહાન પ્રતિધ્વનિ ઉછળી ઉઠર્યો અને તે પ્રતિધ્વનિના ઘોષથી સમસ્ત સુરઘંટાઓને મહાનાદ થયે. અને તે ભારે રણકારાને લીધે દેવનાં ચતુર્વિધ વાહવાગવા લાગ્યાં, તેથી ગાંધને ગીતનાદ પ્રાયઃ વિછિન્ન થઈ ગયે. તેમજ નાદને ભંગ થવાથી તાલ અને લયને વિવેક સર્વથા નષ્ટ થયે. તેથી અપ્સ ત્રણ વાર એ સામતિને For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy