SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પરંતુ એકંદર આપેલા સેનેયાની સંખ્યા ત્રણસો અઠ્ઠાણી કરેડ અને એંશી લાખ થઈ, અન્યને તે હિસાબ જ નથી. આ પ્રમાણે સાંવત્સરિક દાન આપી સમસ્ત ભુવનવાસી લોકોને સંતુષ્ટ કરી સર્વથા યાચકવૃત્તિનો અભાવ કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રી, દુર્ગપાલ, સેનાપતિ, કશાધપતિ અને મુખ્ય નાગરિક લકે સહિત માંડલિક રાજાઓને બોલાવી સર્વ સમક્ષ શ્રીશેખર કુમારને સર્વાગ પિતાનું રાજ્ય સોંપી નીતિ પ્રમાણે પ્રજાજનને ઉપદેશ આપ્યો, “હે દેવાનુપ્રિય ! બંધુઓ ! હવે હું પ્રવૃત્તિ માર્ગ છોડી દીક્ષા ગ્રહણ કરૂં છું માટે હવેથી આ કુમાર તહારો અધિપતિ છે, તેથી તેની આજ્ઞામાં હમેશાં વર્તવું.” આ પ્રમાણે અસહ્ય વચન સાંભળી તેઓ વિસ્મિત થયા અને ગદગદ સ્વરે બેલ્યા કે, પ્રત્યે ! અમારા શ્રવણપુટ જરૂર વમય છે, અન્યથા આપના વચનરૂપ વજીને પ્રહાર કેમ સહન કરે ? વિગેરે કરૂણ વચન બેલી તેઓએ નરેંદ્રનો બહુ આગ્રહ જોઈ મહા કષ્ટ તે વાત કબુલ કરી. અથુપાતવડે ગંડસ્થલેને મલીન કરતા શ્રી શેખરભૂપતિએ શ્રી જગદગુરૂના ચરણમાં પડી વિનતિ કરી, દીક્ષા મહોત્સવ જગ...! આપ તે મહાતીત થઈ સર્વ સ્વીકાર. વિરતિ વડે વિરક્ત થયા છે, પરંતુ મહારી ઉપર કૃપા કરી આપ દીક્ષા મહોત્સવને સ્વીકાર કરો. એમ રાજાના ઘણા આગ્રહને લીધે શ્રીસુપા પ્રભુએ દીક્ષા મહોત્સવ માન્ય કર્યો. ત્યારબાદ ભૂપતિએ ત્રિક જનેને આજ્ઞા આપી કે તરતજ તેઓએ એક હજાર અને આઠ સુવણે કલશ ત્યાં મંગાવ્યા. તેમજ અતિ શુદ્ધ તીર્થજલ, દિવ્ય ઔષધિઓ, કરમિશ્ર ચંદન વિગેરે સુગંધિત વિલેપને જીનમજજન માટે મંગાવ્યા. તે સમયે બત્રિશ સુરેંદ્રોના સિંહાસન For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy