SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીથ કર લગ્ન પ્રસ્તાવ. ( ૭૭ ) ચંચલ પક્ષ્મ ( પાંપેણા ) વડે ઉજવલ અને સ્ફાર એવાં તે કુમારીનાં નેત્ર વારવાર સ્ફુરે છે તેટલાજ માટે કામદેવ પેાતાનુ ધનુપ્ ચઢાવી તેની પાછળ દોડ્યા કરે છે. હું માનું છું કે વિધિએ ચન્દ્રની કલાઓનું ચૂર્ણ કરી મૃતરસથી ભીંજાવી કામદેવને સજીવન કરવાની ષષિધરૂપ તે કુમારી બનાવી છે. આ બહુ માહર છે વળી આની શેાભા અલૈકિક છે. તેમજ આ બહુ વર્ણન કરવા લાયક છે, એ પ્રમાણે તે કુમારીના અંગામાં ભાવના કરતા લેાકેા તૃપ્ત થતા નથી. માલવ દેશમાંથી કુંતલદેશમાં અને ત્યાંથી મધ્ય દેશમાં પથિકની માફક તેના સમસ્ત અંગામાં યુવાન પુરૂષાની દૃષ્ટિએ ચિરકાલ પરિભ્રમણ કરે છે. અન્યદા તે સામા પેાતાની સખીઓ સાથે પેાતાના ઉદ્યાનમાં ફરવા ગઈ હતી. ત્યાં કનરીએ ગાયન કરતી હતી, તેમાં બે ગાથાએ કુમારીના સાંભળવામાં આવી. તદ્યથા મૂર્છાવસ્થા. – सिरिसुपइठ्ठनराहिव-विसालकुल गयणभूसणससंको । सयलकलाकलहंसी- लीलाकमलायरो कुमरो ॥ १ ॥ नामेण सुपासो सयल, - सुहयसिरसेहरो गुणाणुयही । તળિયયિદળો, ધન્ના! રૂમો વરો હોદ્દો ! ર્॥ સુપ્રતિષ્ઠ નરેદ્રના કુલરૂપી ગંગનાંગણને દીપાવવામાં ચંદ્રસ માન, સમસ્ત કલારૂપી રાજસીએને કીડા કરવા માટે કમલાકર ( સરોવર ) સમાન, સમગ્ર સુભગ જનામાં ચૂડામણિ સમાન, તેમજ ગુણરત્નેાના સાગર સમાન અને તરૂણી જનેાના હૃદયને હરણુ કરનાર શ્રી સુપાર્શ્વ કુમાર મહા ભાગ્યવતી સ્ત્રીના સ્વામી થશે. આ પ્રમાણે કુમારનુ ગુણકીન સાંભળવાથી તે કુમારી તરતજ ઈર્ષ્યાલુ કામદેવના તીક્ષ્ણ બાણેાથી વીંધાઈ ગઇ. ત્યારબાદ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy