________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર જન્મ પ્રસ્તાવ.
(૬૩)
-
-
નવરના પ્રભાવથી પિતાનાં આસને કંપ્યાં એટલે અવધિ
જ્ઞાનવડે જીતેંદ્રને જન્માભિષેક મહોત્સવ જનમાભિષેક. જાણું ઈશાનાદિક સર્વે સુરે પોતપોતાની
સમૃદ્ધિ સહિત ત્યાં આવ્યા, અમેદપૂર્વક જીતેંદ્રના ચરણ કમલમાં પ્રણામ કરી પોતાના સ્થાને બેઠા. ત્યારબાદ અમ્યુક્રે પ્રથમ પોતાના દેવોને આજ્ઞા આપી કે હાલ આપણે તીર્થકરને જન્માભિષેક કરવાને છે માટે જલદી શ્રેષ્ઠ સામગ્રી તૈયાર કરી અહીં દાખલ કરે. આ પ્રમાણે પિતાના સ્વામીની આજ્ઞા મસ્તકે ચઢાવી તરતજ દેવોએ સેનાના, રૂપાના, મણિઓના, સુવર્ણ અને રૂપાના, રત્નોના, મણિ સુવર્ણ અને રૂપાના, મણિ, સુવર્ણ, રૂપા અને રત્નના, તેમજ મૃત્તિકાના એમ દરેકના એક હજાર અને આઠ કલશ બનાવ્યા. તેમજ રત્નમય ભંગાર [ ઝારીઓ ] વિગેરે દરેક સાર વસ્તુઓ એક હજાર અને આઠ પ્રમાણે તૈયાર કરી ક્ષીરસાગર પ્રત્યે ગયા. દરેક કલશે ક્ષાદથી ભર્યા તેમજ કમલ, કૈરવ, શતપત્ર અને સહસ્ત્રપત્ર નામે પદ્મ પણ ઉપગ જેટલાં લીધાં. તે પ્રમાણે અતિ પવિત્ર માગધ વિગેરે તીર્થોનાં અને શ્રેષ્ઠ નદીએનાં જલ, મૃત્તિકા અને ઔષધિઓ, તેમજ ઉત્તર કુર્નાદિકમાં પણ કુલગિરિ, વક્ષસ્કાર, નંદનવન, આંતરિક નદીઓ અને દ્રહોમાંથી પુષ્પ, ઓષધિ અને ફળ લઈ દેવતાઓ જલદી ત્યાં આવ્યા. અને વિનયપૂર્વક પ્રણામ કરી અચુતંદ્રને સમસ્ત સામગ્રી અપણ કરી. અમ્યુકેંદ્ર પણ સમસ્ત વસ્તુઓને જોઈ બહુ ખુશી થયે. અને તરત જ પોતાના આસન ઉપરથી ઉભે થયે એટલે દશ હજાર સામાનિક દેવતા, ચાર લોકપાલ, ત્રણ પરખદાઓ, સાત સેનાધિપતિ, સાત સૈન્ય, તેત્રિશ ત્રાયસિંશ દેવતા અને ચાળીશ હજાર પોતાના આત્મ રક્ષક દેવે પણ તૈયાર થયા. પછી પવિત્ર તીર્થ તથા ક્ષીરસાગરના જળથી પૂર્ણ ભરેલા, તેમજ
For Private And Personal Use Only