SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ. (૫૭) તેટલામાં સીધર્મ કલ્પવાસી સુરેન્દ્રનું સિંહાસન ચલાય માન થયું. તે ઉપરથી અકસ્માત સુરેંદ્રને સૈધમને મહેટું આશ્ચર્ય થયું. ક્ષણમાત્રમાં રેષને વિતર્ક તથા લીધે નેત્રે લાલ થઈ ગયાં અને વિચાર કરવા પશ્ચાત્તાપ. લાગે. અરે ! હાલમાં સ્વર્ગ લક્ષમીથી પરા મુખ થવાની કેણ ઈચ્છા કરે છે? અથવા મૃત્યકાળને દુય કટાક્ષ ગોચર થવાની કેની ઈચ્છા થઈ હશે? કિંવા હારા વજની તીવ્ર જવાલાઓમાં પતંગની માફક પૃપાપાત કરવાને કોણ તૈયાર થયું છે? અથવા અગાધ વ્યસન સમુદ્રમાં ડુબવાની ક્યા દુબુદ્ધિની ઈચ્છા થઈ હશે ? કારણકે સ્થિર રહેલું આ હારૂં સિંહાસન જેણે ચલાયમાન કર્યું ? એ પ્રમાણે ચિંતાતુર થઈ દશે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગે પરંતુ કંઈપણ કારણ તેના જેવામાં આવ્યું નહીં, એટલે ફરીથી પણ તેચિંતવવા લાગ્યું. શું હારે વન–પતન કાળ આવ્યાના, તેને પણ હાલમાં સંભવ દેખાતું નથી. કારણ કે કલ્પવૃક્ષ હાલમાં કંપતું નથી. તેમજ પુષ્પમાળાઓ કરમાતી નથી, વળી ઇંદ્રા એ વિરક્ત થઈ દેખાતી નથી, દીનપણું સ્કૂરણયમાન થયું નથી. દષ્ટિ પણ પિતાને વિકસ્વરભાવ છેડતી નથી અને વસ્ત્રો પણ મલિન થયાં નથી, એમ અનેક કુવિકલ્પની કલ્પના કરો સૌધર્મેદ્ર અવધિજ્ઞાનના ઊપયોગથી તપાસ કરે છે, તેટલામાં સિંહાસન કંપવાનું મુખ્ય કારણ છગેંદ્રનો જન્મ છે એમ તેના જાણવામાં આવ્યું એટલે તરતજ સિંહાસન ઊપરથી ઊભું થઈ સાત આઠ ડગલાં આગળ ચાલી, ત્યાં ઉભે રહી બહુ પ્રમુદિત થઈ શકતવન વડે જીતેંદ્રની સ્તુતિ કરી. ફરીથી સિંહાસન પર બેસી સુરપતિએ વિચાર કર્યો, મહાખેદની વાત છે કે નહીં ચિંતવવા લાયક પાપનું મોં ચિંતવન કર્યું માટે હું ધિક્કારને પાત્ર થયે. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy