________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અનન્ય હર્ષથી રોમાંચ કંચુકને ધારણ કરતે શ્રેણી પોતે ઉભી થઈ છનેંદ્રની સન્મુખ ગયો અને બહુ પ્રેમપૂર્વક પ્રભુના ચરણ કમળમાં નમન કરી ગદગદિત સ્વરે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો કે
केहि पि अज चिरसंचिएहिं, फलियम्ह तवविसेसेहिं ।
कप्पतरूहि व नणं, सरमहुर पचेलिम फलेहिं ॥ અથ– હે ભગવન નિરંતર મધુર અને પરિપકવ ફલદાયક એવા કલ્પની માફક અપૂર્વ એવાં ચિરકાલથી ઉપાર્જન કરેલાં વિશેષ તપ આજે મહિને ફલદાયક થયાં. જેથી હે જગતપ્રભ ! આપના ચરણ કમલથી પવિત્ર થએલું આ હારૂં ઘર દેવતાઓને પણ વંદનીય થયું. વળી હે જગત પાલક ! જેઓ આપના મુખારવિંદના લાવણ્યરસનું પાન કરે છે તે ત્રણે લેકમાં પૂજનીય થાય છે અહો ! અમે એવું આપનું દર્શન દિધાપિ અંત:કરણની શુદ્ધિ કરે છે, મળરૂપી વાદળને વિખેરવામાં પ્રચંડ પવન સમાન, કીર્તિરૂપ વેલડીને વિસ્તારવામાં મેઘ સમાન, વિરરૂપ ગજેંદ્રને વિદારવામાં સિંહ સમાન, વિપદ્દરૂપી સમુદ્રને શોષવામાં અગસ્તિ સમાન, પ્રબલ મેહ રૂપી વિષને ઉતારવામાં જાંગુલિ સમાન, દારિદ્યરૂપ શલભને સંહારવામાં અગ્નિ સમાન, સદ્વિઘારૂપ સરિતાના કુલ ગિરિસમાન, અવિદ્યારૂપ નાગિનીને દમવામાં ગારૂડિક સમાન એવું આપનું દર્શન શું શું નથી સાધતું? અર્થાત આપના દર્શનથી મોક્ષસુખ પણ સુલભ થાય છે. આ જગતમાં સર્વથા નિવૃત્ત થએલા પરમ યોગીએ પણ આપના દર્શનની આકાંક્ષાને લીધે યોગાદિકની ઉપાસના કરે છે, અનેક પ્રકારનાં તપ તથા જપાદિક સાધનો પણ આપના દર્શનથી જ સફલ થાય છે એમ પોતે કેટલીક પ્રેમભક્તિ બતાવી પશ્ચાત પિતાની સ્ત્રીને ઉદ્દેશી ફરીથી બે હે મૃગાક્ષ આવા પરિમહના ત્યાગી વીતરાગ ભગવાન વિનાપુ કાને ત્યાં પધારે છે? ખરેખર આ દુનીયામાં ભાગ્યવતી તે તું જ ગણાય, નહિ તે ચરાચર પ્રાણિઓના ઉદ્ધારક આ ઇનંદ્ર ભગવાન સરખા ઉત્તમ પાત્ર અહીં કયાંથી આવે? માટે હે સુંદરિ? નિર્મળ ભાવપૂર્વક શુદ્ધ દ્રવ્યવડે આ પ્રભુને પારણું કરાવીને તું ભવસાગરને ગષ્પદ સમાન ગણુને જલદી તરી જા. એમ પોતાના પતિનું
For Private And Personal Use Only