SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મેરૂ પ તરૂપી ધ્વજ સ્ત ંભ તેમજ જીને દ્ર ભગવાનના સ્નાનના જલ રૂપી ઊજવલ વસ્ત્રાડ ંબર ( સઢ ) થી વારાણસી નગરી. વિરાજીત અને આ ભવસાગરમાં વહાણુ સમાન આ માનુષ ક્ષેત્ર જગતમાં જયકારી વર્તે છે, તેની અંદર ઊત્તમ કેવલ જ્ઞાનરૂપી કાટી રત્નાવર્ડ લેાકાલાક સંબંધિ વૃત્તાંતને ઊદ્યોતિત કરતા જ બુદ્વીપ નામે દ્વીપ રહ્યો છે. તેમાં ભરત નામે ક્ષેત્ર છે, જે ક્ષેત્રના કાંડસમાન દક્ષિણ વિભાગના મધ્ય ખંડમાં જન્મ પામી ભવ્ય પ્રાણીએ સ્વલ્પ સમયમાં મેક્ષ પામે છે. વળી તે ક્ષેત્રમાં ધન, ધાન્ય, સુવર્ણ વગેરે સદ્ધસ્તુઓથી ભરેલા અને મ્હોટા ગ્રામ નગર વડે સંકીણું તેમ જ સમસ્ત જનેાના હૃદયમ ંદિરમાં ભારે આનંદ વિસ્તારતા ચૂડામણિ સમાન કાશી નામે દેશ છે. તે દેશની અંદર મગલ, ગુરૂ, સૂર્ય, બુધ, શુક્ર અને સાતષિએ જેમાં નિરંતર વાસ કરે છે એવી આકાશ લક્ષ્મીની માફક સમસ્ત મોંગલાનુ સ્થાનભૂત, ગુરૂવત્તા એટલે બહુ દ્રવ્યથી પરિપૂર્ણ, શૂરવીર, પડિત, કવિજન અને અનેક મુનિવરોથી વિભૂષિત, તેમજ દરેક ગૃહમાં પાળેલા અનેક ક્રીડા હું સાને લીધે મનેાહર શેાલા આપતી એવી જે નગરી, કૌશિક એક ઇંદ્રના સ્થાનભૂત એવી સ્વર્ગ પુરીનું હવેલીએની વિશાલ અને સ્વચ્છ કાંતિના મિષથી ઊપહાસ્ય કરે છે, શુિપતિ અને કમઠાધિપ વગેરે ભુવનવાસી દેવતાએ જે નગરીની ઊત્તમ શેાભાને પરિખા ( ખાઈ ) ના છિદ્રોમાં દષ્ટિ કરી હમેશાં જોયા કરે છે. વળી ગગનાંગણુને સ્પર્શ કરતા સુંદર કિલ્લાઓનાં શિખરે વડે “આ કલંકિત છે એમ જાણી” નિષેધ કરાયેલા ચંદ્ર પણ તે નગરીમાં પ્રવેશ કરી શકતા નથી. તેમજ ત્રિક, ચત્વર, સુંદર શેરીઓ, દરવાજા અને વિવિધ પ્રકારની હવેલીએથી વિશેષ શેશભતી તેમજ ભુવનતલમાં અતિ પ્રખ્યાત એવી તે વારાણસી નગરી For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy