SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સૈન્ય સાથે ત્યાં આવ્યું. અનેક શસ્ત્ર તેમજ અસ્ત્રોથી વિરાજીત બક્તર પહેરી તૈયાર થયેલા બન્નેના સૈનિકો પરસ્પર બાણ વૃષ્ટિ કરવા લાગ્યા. તેટલામાં કુલદેવીએ પોતાની માયાના પ્રભાવથી કનકચૂડ ખેચરનું મસ્તક યુદ્ધભૂમિ પર પડેલું તેને સિનિકને બતાવ્યું. તે જોઈ તેનું સઘળું સૈન્ય પોતાને નિર્ણાયક જાણું બહુ દૂર નાશી ગયું. ત્યાર બાદ સૈન્ય રહિત એકાકી કનકયૂડ પણ ભયભીત થઈ ત્યાંથી પલાયન થઈ ગયું. તેથી ત્યાં પણ સર્વત્ર શાંતિ ફેલાઈ અને સર્વે નિશ્ચિત થયા. ત્યાર બાદ સંગ્રામથુર રાજાએ હેટા મહોત્સવ પૂર્વક ઉત્તમ મુહૂર્તમાં સમરસિંહ નૃપ સાથે પ્રથમ આપેલી જયસુંદરીને લગ્ન મહોત્સવ કર્યો. ત્યાર બાદ જયસુંદરી સહિત સમરસિંહ રાજા પિતાના નગરમાં આવ્યું અને કેને આશ્ચર્યજનક અદ્ભુત વિષય સુખ ભેગવવા લાગ્યા. એક દિવસે જયસુંદરી લગભગ સવારના ચાર વાગતાના સમયે સુખ શય્યામાં આનંદથી સુતી હતી સ્વપ્ન દર્શન. તેટલામાં તેને આ પ્રમાણે સ્વપ્ન આવ્યું કે દિવ્ય અલંકારોથી વિભૂષિત અને ઊર્વીલ દિવ્ય વસ્ત્રોની કાંતિથી અંધકારને દૂર કરતા એક ભવ્ય પુરૂષને પિતાના હસ્તમાં અમૂલ્ય રત્ન આપી જતાં જોયે. આવું સ્વપ્ન જઈ તે એકદમ જાગ્રત થઈ અને આશ્ચર્યથી ચકિત બની તેણીએ પોતાના સ્વામીને નિવેદન કર્યું. રાજા–દેવિ! આ સ્વપના પ્રભાવથી જરૂર હારે પુત્ર થશે. આ . પ્રમાણે પતિનું વાકય સાંભળી પ્રફુલ્લ થયાં • છે નેગે જેનાં, અને બહુ હર્ષથી રોમાંચરૂપી કંચુકને ધારણ કરતી જયસુંદરી બોલી. સ્વામિન્ ! આપનું વચન - સત્ય થાઓ, એમ કહી પતિનું વચન બહુ માનપૂર્વક સ્વીકાર્યું. For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy