________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
સ્થિતિ બંધાય અને કષાય ન્યુન હોય તે ન્યૂન સ્થિતિ બંધાય, માટે આ અપૂર્વકરણમાં આત્મપરિણામની વિશુદ્ધિ હોવાથી કષાય મંદ મંદ થતું જાય છે, તેથી સ્થિતિ પણ કમી કમી બંધાતી જાય છે. અને શુભાયુષ્યની સ્થિતિમાં કષાયની મુખ્યતા નહિ પણ વિશુદ્ધિની મુખ્યતા હોવાથી અધિક વિશુદ્ધિએ અધિક શુભાયુષ્યસ્થિતિ બંધાય છે. અને અલ્પ વિશુદ્ધિએ શુભાયુષ્યની અલ્પસ્થિતિ બંધાય છે.
એ પ્રમાણે પાંચે કરણે અહિં અપૂર્વ કરવાથી આ ગુણસ્થાનનું નામ અપૂર્વવર યથાર્થ છે. પુન: આ ગુણસ્થાનનું બીજું નામ નિવૃત્તિ વાર સંપાય છે; નિવૃત્તિ એટલે અધ્યવસાયની તારતમ્યતા-ફેરફારી આ ગુણસ્થાને છે, એટલે આ ગુણસ્થાનના પ્રથમાદિ સમયમાં અનેક છ વર્તતા હોય તે તે દરેક જીવના અધ્યવસાય જુદા જુદા હોય પણ સરખા ન હોય. માટે નિવૃત્તિ, અને અહિં સંપાય એટલે કષાય પણ વાવ એટલે સ્થળ છે તેથી આ ગુણસ્થાનનું “નિવૃત્તિ બાદર સંપરાય” નામ પણ યથાર્થ છે.
૧ ભાવાર્થ એ છે કે અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ, તેથી ત્રીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ, તેથી ચોથા સમયની વિશુદ્ધિ અનંતગુણ, એ પ્રમાણે અપૂર્વકરણના અન્ત સમય સુધી પર્વ સમય કરતાં પર સમયમાં અનંતગુણ વિશુદ્ધિ જાણવી. એ ઉર્વાધઃ વિશુદ્ધિ કહી; હવે તિરંગવિશુદ્ધિ આ પ્રમાણે–અપૂર્વકરણના પ્રથમ સમયે પ્રાપ્ત થયેલા અનેક જીવો સર્વ સરખા અધ્યવસાયવાળા ન હોય પણ હીનાધિક અધ્યવસાયવાળા હોય, અર્થાત ધારો કે અપૂર્વકરણના પ્રથમ સમયમાં અસંખ્ય છ ત્રણે કાળની અપેક્ષાએ પ્રાપ્ત થાય તે દરેકના અધ્યવસાયો ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, એ પ્રમાણે દ્વિતીય સમયમાં વર્તતા અનેક જીવોના અધ્યવસાયો પણ ભિન્ન ભિન્ન હોઈ શકે. યાવત એવી તિર્યંગવિષમતા અપૂર્વકરણના અન્ત સમય સુધી જાણવી, એ તિર્યંગ વિષમતાને અંગેજ એ ગુણસ્થાનનું નામ નિવૃત્તિ કહી શકાય, પણ ઉદ્ઘધઃ વિશુદ્ધિને અંગે નહિ.
For Private And Personal Use Only