________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કહેતાં સર્વ શાસ્ત્રકર્તાઓએ આ અજ્ઞાનનું નામ વિર્ભાગજ્ઞાન કહેલ છે, માટે તેમજ કહેવું યુક્ત છે. )
પ્રશ્ના–મતિ આદિ જ્ઞાનવાળે પુરૂષ પણ ઘટને ઘટ દેખે છે, કહે છે, અને જાણે છે. પટને પટ કહે છે, દેખે છે, અને જાણે છે, તેવી જ રીતે મતિઆદિ અજ્ઞાનવાળો પણ ઘટને ઘટ જાણે છે, દેખે છે, અને કહે છે? તથા પટને પટ જાણે છે, દેખે છે, અને કહે છે, તે મતિજ્ઞાની અને મતિજ્ઞાનીમાં તફાવત શો? અથવા મતિ અજ્ઞાની શું ઘટને પટ કહે છે, અથવા પટને ઘટ કહે છે? કે જેથી એકને જ્ઞાની અને બીજાને અજ્ઞાની કહે છે ?
ઉત્તર –મતિજ્ઞાની જેમ ઘટને ઘટ દેખે છે, તેમ મતિ અજ્ઞાની પણ ઘટને ઘટ દેખે છે, પરંતુ બેના દેખવામાં તફાવત એ છે કે મતિજ્ઞાની ઘટમાં રહેલા ઘટનું અસ્તિપણું અને પટનું નાસ્તિપણું એ બન્ને ભાવને અસ્તિપણે જાણે છે, અને મતિજ્ઞાની ઘટમાં રહેલા કેટલાક ઘટત્વાદિ અસ્તિપર્યાનું જ અસ્તિત્વ માત્ર જાણે છે, પણ પટાદિ નાસ્તિપવાનું અસ્તિત્વ સ્વીકારતા નથી, માટે એક મતિજ્ઞાની અને બીજે મતિઅજ્ઞાની કહેવાય છે. અથવા ઘટાદિ જે પદાર્થોમાં જેટલા ( અનંત) ધર્મ રહ્યા છે તેટલા સર્વ ધર્મને સ્વીકારપૂર્વક ઘટાદિ પદાર્થોને ઘટાદિ કહે, જાણે અને દેખે તે જ્ઞાની, અને તેમાંથી કેટલાક ધર્મ સ્વીકારે ને કેટલાક ધર્મ ન સ્વીકારે તે અજ્ઞાની. અથવા મિથ્યાદ્રષ્ટિનું જે જ્ઞાન તે અજ્ઞાન, કારણકે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનનું મેક્ષફળ હેય નહિ માટે, અને સમ્યગદ્રષ્ટિનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય કારણ કે તે જ્ઞાન મેક્ષફળને આપનાર છે.
એ આઠ જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ ચાર જ્ઞાન પરોક્ષ છે, અને અવધિ વિગેરે આત્મસાક્ષાત્ હિાવાથી નિશ્ચય પ્રત્યક્ષ છે, અને મતિજ્ઞાનાદિ જે પરોક્ષ છે તેમાં પણ ઈન્દ્રિયોને સાક્ષાત્ પદાર્થોને અનુભવ તે લોકમાં પ્રત્યક્ષ મનાય છે, માટે વ્યવહાર પ્રત્યક્ષ છે પણ વાસ્તવિક રીતે
For Private And Personal Use Only