________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓથી સંખ્યાતગુણ પરિગ્રહસંસાવાળા, અને તેથી સંખ્યાત ગુણ મિથુનસંજ્ઞાવાળા છે.
દેવામાં વિશેષે કરી પરિગ્રહસંજ્ઞા અધિક છે, તેમાં પણ આહારસંજ્ઞાવાળા અ૫, તેઓથી ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી મિથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, અને તેઓથી પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ દે છે.
અહિં જે જે જીવોને જે જે સંજ્ઞા અધિક કહી તે તેવા પ્રકારનાં બાહ્ય કારણેના નિમિત્તથી જાણવી, જેમ નારક જીવને ભયનાં બાહ્મનિમિત્ત ઘણાં હોવાથી ભયસંજ્ઞા વિશેષ છે, અને દેવને મણિ, રત્ન વિગેરે પરિગ્રહનાં બાહ્યનિમિતે ઘણું હોવાથી પરિગ્રહસંજ્ઞા અધિક છે, અને અંતરંગ ભાવથી તે ચારેસંજ્ઞાવાળા છે. તેમજ એકેન્દ્રિય અને દ્વીન્દ્રિયાદિકની સંજ્ઞાસંબંધિ અલ્પાધિતા દર્શાવી નથી, માટે સમજાય છે કે તેઓની અપાધિતા અનિયમિત હશે.
પુન: મેહ, ધર્મ, સુખ, દુખ, જુગુપ્સા અને શોક એ છ મેળવવાથી સંજ્ઞાઓ સાથે પણ થાય છે, તથા જે સંજ્ઞાઓ વડે જીમાં સંજ્ઞિઅસંક્ષિપણાને વિભાગ પડે છે, તે સંજ્ઞાઓ હેતૂવાપદેશિકી, દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી એમ ત્રણ પ્રકારની છે, તેનું કિંચિત્ સ્વરૂપ નીચે પ્રમાણે
હેતુષાપરિવર્તમાન કાળમાં પ્રાપ્ત થયેલા અનિષ્ટ અર્થથી નિવૃત્તિ અને ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરવા જેટલું અલ્પવિજ્ઞાન, તે હેતુવાદોપદેશિકીસંજ્ઞા કન્દ્રિયાદિ સર્વ સમુચિઈમ જીવોને કમાનસાર અધિકાધિક છે, એટલે દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિયને, ત્રીન્દ્રિયથી ચતુરિન્દ્રિયને અને ચતુરિન્દ્રિયથી સમુચ્છિમ પંચેન્દ્રિયને અનુક્રમે અધિકાધિક સંજ્ઞા-વિજ્ઞાન માત્ર વર્તમાનકાળ સંબંધિ છે. તે નીચે પ્રમાણે–
કીન્દ્રિય જીવ જે સ્થાને પડેલો છે તે સ્થાને જે સૂર્યને તડકે આવે તે તાપ અનિષ્ટ લાગવાથી તુર્ત ખસીને જ્યાં છાયા
For Private And Personal Use Only