SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજ્ઞાપના સૂત્રમાં વિશેષાવધરૂપ જ્ઞાનને લકસંજ્ઞા કહી છે તે પણ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી જાણવી. પુનઃ અન્ય આચાર્યો કહે છે કે લેકની હેય એટલે ત્યાગ કરવા એગ્ય પ્રવૃત્તિ તે સંજ્ઞા, એ હેયપ્રવૃત્તિ તે “શ્વાન યક્ષ છે” વિગેરે પ્રથમ દર્શાવી તે જાણવી. ૨૦ વર્ણ—અવ્યક્ત ઉપયોગરૂપ સામાન્ય જે પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા કહેવાય, જેમકે વેલડીએ આગળ પાછળનો માર્ગ છેડીને જ્યાં વૃક્ષ વિગેરે હોય ત્યાંજ જઈ તેમના ઉપર વૃદ્ધિ પામે છે વિગેરે સામાન્ય પ્રવૃત્તિઓ એ ઘસંજ્ઞા કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તે શબ્દાદિ અર્થના વિષયવાળી સામાન્યાવબોધક્રિયા એટલે દર્શને પગને ઘસંજ્ઞા કહી છે. એ પ્રમાણે ચાર અથવા દશ સંજ્ઞાઓ જાણવી. તેમાં ચાર સંજ્ઞાઓમાંથી નારક અને ભયસંજ્ઞા અધિક હોય છે, કારણકે તેઓને પ્રતિસમય પરમાધામીને તથા બીજા શત્રુ નારકનો અને ક્ષેત્ર વિગેરે દશ પ્રકારની વેદનાઓને ત્રાસ વત્ય કરે છે. તેમાં પણું કે એક સમયઆશ્રય મિથુનસંજ્ઞાવાળા નારકે અલ્પ, તેથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગણું, અને તેથી ભયસંજ્ઞાવાળા સ ખ્યાતગુણ નારકજીવો છે. જો કે સામાન્યતઃ સર્વ નાને સર્વ સંજ્ઞાઓ હેય છે, પણ દરેક નારકને દરેક સમયે ચારે સંજ્ઞાઓ સ્પષ્ટ અનુભવપણે ન હાય પરતુ એક નારકને એક સમયમાં એક સંજ્ઞા અનુભવપણે હોય છે, માટે એ કહેલી અલ્પાધિકતા સંભવી શકે છે. તિર્થગ્ર પંચેન્દ્રિયને વિશેષે કરી આહાર સંજ્ઞા અધિક હેય છે. તેમાં પણ પરિગ્રહસંજ્ઞાવાળા સર્વથી અ૫, તેઓથી મિથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી ભયસંજ્ઞાવાળ સંખ્યાતગુણા, અને તેમાંથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ છે. મનુષ્યોમાં વિશેષે કરી મિથુનસંજ્ઞા અધિક છે, તેમાં પણ ભયસંજ્ઞાવાળા મનુષ્ય અં૫, તેઓથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy