SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના શેભન મુનિનું જીવન બે ભિન્ન ભિન્ન પ્રકારના સંસ્કારથી ઘડાયું છે. જન્મથી તેમનામાં વૈદિક શેભનના પૂર્વજો સંસ્કારે પિલાયા છે અને દીક્ષા અને તેનું પ્રારં- પછીથી જૈન સંસ્કારેએ તેમાં અપૂર્વ ભિક જીવન. સુધારણું કરી નવું તેજ ઉત્પન્ન કર્યું છે. જન્મથી તેઓ વૈદિક બ્રાહ્મણ હતા વિગેરે જાણવા સહુ પહેલાં આપણે તેમના ભાઈ ધનપાળની કૃતિ તિલકમંજરી” તરફ નજર નાંખીશું. મહાકવિ ધનપાળ પિતાનો પરિચય આપતાં તેમાં લખે છે – મMદેશ કે જેને આજકાલ સંયુક્ત પ્રાંત (યુ. પી. ) કહેવામાં આવે છે, તેમાં આવેલા “સકાશ્ય” નગરને રહેવાસી દેવર્ષિ 'બ્રાહ્મણ હતા. તેને પુત્ર “સર્વદેવ” થયે, જે શાસ્ત્રકળા અને ગ્રંથ રચવામાં નિપુણ હતું. આ સર્વદેવને બે પુત્રો થયા, માટે ધનપાળ” અને નાને “શોભન” આપણું ચરિત્રનાયક આ જ શોભન છે. ધનપાળના પિતા સર્વદેવ, “ભેજ'ની સુંદર ધારા” (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના બંને પુત્રને જન્મ કયાં થયે તેને નક્કી ખુલાસો જે કે આપણને મળતું નથી, પણ અનુમાનથી કહી શકાય કે, સર્વદેવ ઘણું વર્ષોથી ધારામાં આવી રહ્યા હશે ? આ હિસાબે આ બંને તેમના પુત્રોનો જન્મ ધારામાં થયેલ હોય એમ લાગે છે. ધારાનગરી જે વખતે રાજા “ભેજ માળવાનું રાજ્ય કરતા હતા તે વખતની “ધારા” નગરી ઘણું જાહોજલાલીવાળી હતી. અનેક વીરે, १" आसीद् द्विजन्माऽखिलमध्यदेशे प्रकाशसाकाश्य निवेशजन्मा। अलब्ध देवर्षिरिति प्रसिद्धि यो-दानवर्षित्वविभूषितोऽपि ॥ ५१ ॥ शास्त्रेष्वधीती, कुशलः कलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्याऽऽत्मजन्मा समभून्महात्मा, देवः स्वयंभूरिव सर्वदेवः ॥ ५२ ॥" तिलकमंजरीनी पीठिका. For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy