SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શોભનમુનિના જીવન પર પ્રકાશ ચાલ્યા જાય છે, કેટલાએક બીજા વિષયના ગ્રંથ બનાવવામાં આનંદ કે લાભ માની કાવ્યના ગ્રંથો છેડા, બનાવે છે. અથવા બનાવતા ય નથી. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે કવિ નહિ માનીએ તો “એક માટી ભૂલ જ ગણાય, ભયંકર અન્યાય જ થાય” એમ મારું માનવું છે. જે તેમ ન હોય તે “સિદ્ધસેન દિવાકર ' કે જેઓનું “કલ્યાણ મંદિર તેત્ર” સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજારે લેકનાં કાવ્ય રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન કવિ “ મનુલિસે વા” (સિક હૈ. ૨–૨–૨૨ પૃ૦ ૭૨ ) કહી મહાકવિનું માન આપે છે તે ન જ આપત. તેથી એમ માનવું જોઈએ કે કવિતા બનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી. જુદી વસ્તુ છે, આપણું “શેભન મુનિ ” પણ તેવા જ કવિ હતા, કે જેઓ શબ્દાલંકાર અને ભક્તિના પૂરથી છલકતી * નિસ્તુતિવતુર્વરાતિ ” નામની એક જ કૃતિ જગતૂને આપી તરુણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આલેચના કરવાનું કામ આગળ ઉપર રાખી તે કૃતિના ક્તો, ( ભનમુનિ ) ના જીવન ચરિત્ર તરફ હું વાચકોને લઈ જવા માગું છું શ્રી શેભન મુનિના જીવન પર પ્રકાશ. અત્યાર લગી પ્રકાશિત થએલ જૂના અને નવા ગ્રંથમાં શ્રી શેભન મુનિનું જીવન ચરિત્ર બહુ જ ટૂંકાણમાં, અને તે પણું અપૂર્ણ મળે છે. તેમનાં જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુના નામના સંબંધમાં અનેક ગ્રંથકારે જુદા જુદા મત આપે છે, પણ મને તે આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (ભન મુનિના વડીલ ભાઈ) ના ગ્રંથ, પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વધુ પ્રમાણિક લાગે છે માટે આ ગ્રંથના આધારે હું કાંઈક લખીશ. For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy