________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી.
તા. ૬-૬-૧૦
મુ. આજેલ.
લેખક –બુદ્ધિસાગર. શ્રી મહેસાણા તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત પન્યાસ અછતસાગર ગણિ મહેન્દ્રસાગરજી ભાનુસાગરજી હેમેન્દ્રસાગરજી ગ્ય અનુવદના સુખશાતા. તમારા પત્રથી સર્વ સમાચાર જાણ્યા છે તથા ગઈ કાલે જેઠ વદિ ત્રીજે સંઘના આગેવાનેને વિજ્ઞપ્તિ પત્ર આવ્યો. મહેસાણામાં તમે જે કરશે ઉપદેશશે તેથી વિશેષ હું કરી શકનાર નથી. શરીરયાત્રા અમે પગ જ્યાં રહે તેવું ઈચ્છાય પરતુ પ્રારબ્ધકર્માધીન ક્ષેત્ર સ્પર્શના થાય છે, તેથી વિકલ્પ સંકલ્પ ન કરતાં જ્યાં ચોમાસું થવાનું હશે ત્યાં જવાશે. કોઈ ઠેકાણાને નિશ્ચય કર્યો નથી. ધાર્યું થતું નથી અને પ્રારબ્ધકર્માનુસાર થવામાં સાક્ષીભૂત જેમ બનાય તેમ બનવું. મારા શરીરની તમે સ્થિતિ જાણે છે. મારા લાયક જૈનજગતું કેટલું છે અને જેન જગને લાયક વર્તમાન દશાએ હું કેટલું છું તે તમારા જેવા પરિચયજ્ઞાનથી જાણે છે. સર્વ વિશ્વના પૌગલિક અહ મમત્વના અધ્યાસથી પર એવા શુદ્ધાત્મસ્વરૂપની ઉપગરમણતાના ક્ષેત્રમાં સર્વ જીવન જાઓ એમ વિશેષ ઉપગે પ્રેમ ધારું છું. અનંતાં ચોમાસાં વહી ગયાં. આત્માનું ચોમાસું ઇચ્છું છું. હવે તે મારા શરીરાદિકની સ્થિતિથી નિરૂપાધિ બ્રહ્મજીવન ઉપગને આધાર છે. તમારા જેવાઓ વિશ્વકલ્યાણ કરે. દુનિયા અને મારા સંબંધમાં હવે નિરસતા દેખાય છે. જાગ્રત આત્મા વિના સંગતિમાં રસ આવતે નથી. દેશકાલ વેષાચાર મતથી ભિન્ન પરમાનંદમય આત્મામાં રસ પડે છે. દુનીગાને રીઝાવવા કરતાં આત્માની એક ક્ષણની રીઝમાં અનંત રસને અનુભવ આવે છે. ચોમાસાનું તે જ્યાં થવાનું હશે ત્યાં થશે અને તે થોડા દિવસોમાં જણાશે. શરીર જાળવવું. મહેન્દ્રસાગરને મસ્તકે ઠીક હશે. દવા કરશે.
% રાતા રૂ
For Private And Personal Use Only