SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસર્ગ. ( ૧૧ ) શર્મા પણ મનના સરખા વેગવાળા વહાણુમાં બેસી સમુદ્રમાર્ગે ચાલતો થયે, અનુક્રમે તે રત્નદાયિની દેવી પાસે ગયા અને તેને પ્રસન્ન કરવાને આદરવાન થયે. પ્રથમ સ્નાન કરી ધોયેલાં શુદ્ધ વસ્ત્રાપવસ્ત્ર ધારણકરી સુવાસિતપુપથી દેવીનું પૂજન કયો બાદ હાથ જોડી તે બે હે દેવિ ? તું કલ્પ વલ્લીસમાન દારઘને દૂર કરનારી છે. એમ સાંભળી લક્ષમીની પ્રાપ્તિ માટે બહુ ભક્તિપૂર્વક હું તારી પાસે આવ્યો છું. માટે હારી ઉપરતું તેવી રીતે પ્રસન્ન થા કે જેથી હું સર્વ સંપત્તિઓનો નિધાન બનું. નહિ તો પત્થરના ટુકડાઓની માફક મારા પ્રાણે હું તારી ઉપર છેડી દઉ છું. એમ કહી વિષ્ણુશર્માદેવીની આગળ એક ચિત્તે ગીંદ્રની માફક નિશ્ચલ આસને બેઠે અને દેવીનું ધ્યાન કરવા લાગ્યા. એમ ધ્યાન કરતાં તેને એકવિશદિવસ થયા એટલે વિજળીની માફક ભવ્ય કાંતિમય તે દેવી પ્રગટ થઈ તેને કહેવા લાગીરે વિપ્ર ? તું શા માટે પ્રયત્ન કરે છે? પૂર્વભવમાં હું કોઈપણ પ્રકારનું ઉત્તમ પુણ્ય ઉપાર્જન કર્યું નથી, બીજ વિના અંકુરાએની માફક પુણ્ય વિના ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. માટે જલદી અહીંથી તું ઉઠ, હારા મંદિરમાંથી બહાર ચાલ્યા જા, નહિ તે ઢેફાની માફક ઉપાડી હું સમુદ્રમાં ફેંકી દઈશ. વિષ્ણુશર્મા પ્રણામ કરી બોલ્યા–દેવી ? પ્રાર્થના કરનારને તું કલ્પવૃક્ષ સમાન ફલદાતા ગણાય છે છતાં તું આ પ્રમાણે બેલે છે તે હવે હુને જીવતે જોઈશ નહીં, વળી હે દેવિ? જે પુણ્યથી લક્ષમી મળે તો પછી ત્યારે વૈભવ શા કામને? પચ્ચ ભેજનથી રેગની શાંતિ થતિ હોય તો વૈદ્યને આશ્રય લેવાની શી જરૂર? દેવતાદિકના પ્રસાદથી નિપુણ્યક જીવ પણ સંપત્તિ મેળવે છે. સ્પર્શમણિ–પારસમણિના સ્પર્શથી લેહખંડ શું સુવર્ણ નથી બનતું? હે સુરાંગને ? પ્રથમ હે સેવકજનેના મનોરથ કલપ For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy