________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસ કરે એજ તપસ્વી બનવાને મુખ્ય પાય છે. તેને વાધિકારે આદર કર જોઈએ.
| અણુતરણ–તપની આ પ્રવૃત્તિ જણાવ્યા બાદ પ્રમાદ પરિહારતાને જણાવે છે. प्रमादाः परिहर्तव्याः सततं धर्मकर्मसु । ભારતરત્રો વધ્યા,વાભિવીતારદરા
શઅદાર્થ –ધર્મકર્મોમાં પ્રમાદે દૂર કરવા લાયક છે. પ્રમાદે છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ.
ભાવાર્થ –બાહ્યશત્રુઓ કરતાં આન્તરવિષય, કષાય. નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદોથી આત્માની અનન્તગુણી હાનિ થાય છે. ચતુરક્ષિતિલક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આન્તરપ્રમાદ શત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદે થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદોથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. શ્રીવીરપ્રભુ શ્રીતમસ્વામીને કથે છે કે હે ગતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં. વિષભક્ષણથી એકવાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેકવાર જન્મમરણ થાય છે. વિષયમાં, કષામાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણોપર કર્મનું આચ્છાદન થાય છે. પ્રમાદેથી રજોગુણ અને તમે શું વિચારેનું અને આચારેનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના અભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી, સત્તા, વગેરેમાં મહિથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગવિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. અએવ આપગ ધારણ કરીને પ્રમાદોને આવતા વારવા જોઈએ. મનુષ્ય પ્રમાદથી રાત્રિદિવસ અનેક દુઃખના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ઘન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોને હારી જાય છે. પ્રમાદેના જોરથી મન અબ્ધ બને છે અને તેઓ આત્માને પ્રમાદોથી ઘેરાયલે દેખી શકતા નથી. પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિ પ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે
For Private And Personal Use Only