________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૨
અને દુષ્ટવ્યસન વગેરેને સમાજમાંથી, સંઘમાંથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભ પ્રવૃત્તિ કરવામાં દુઃખને, કષ્ટને સહેવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કર્થ છે, પરંતુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાન્તિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય તથા આન્તરિક શક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાનો નાશ કરે એવું
સ્વાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રષ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશક્તિએ તપ કરવું જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આત્મોન્નતિકારકસર્વશુભપ્રવૃત્તિના ગર્ભમાં તપ રહેલું છે તે ગુરૂગમપૂર્વક અનુભવગ્રહવાથી અવબોધાય છે. આર્યાવર્તમાં પૂર્વે ગાડરીયા પ્રવાહની દષ્ટિએ તપ થતાં નહોતાં તેથી તે વખતમાં આર્યાવર્તના લોકેની સર્વપ્રકારની ઝાહેઝલાલી વર્તતી હતી. રાગ-દ્વેષ-ઈષ્ય-નિદા-કામ વગેરે અન્તરશત્રુઓને નાશ કરે એ સર્વોત્તમ તપ છે. પૂર્વે ચારેવર્ણમાં અને ત્યાગીએમાં કદાહ, વિર, ધ, માન, માયા, લોભ આદિ દુર્ગુણેના નાશાથે જે જે પ્રવૃત્તિ થતી હતી તેને તપ માની તેમાં લોકોની પ્રવૃત્તિ થતી હતી તેથી આર્યોની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્યતા કથવામાં આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યાં તપની શક્તિ નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભેગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, શુદ્ધભાવ, વિશ્વપરબ્રહ્મભાવ વગેરે ગુણે જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યશક્તિને વિકાસ થાય તેને તપ અવધવું–રજોગુણ અને તમોગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવું જોઈએ કે જેથી નિરાસતકર્મયેગીની પદવી પ્રાપ્ત થાય. મનવૃત્તિને આત્મામાં લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ઠેઠ પરમાત્મપદ પ્રાપ્ત
For Private And Personal Use Only