________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દાસહ સક્ષિપ્ત વિવેચન—વૈયાનૃત્યદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાગુિણાએ યુક્ત એવા મનુષ્યાએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરૂ સેવવા જોઇએ. જેણે આત્મજ્ઞાન આપ્યુ. તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અવમેધવુ. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરૂને સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણાવર્ડ સહિત અને વૈયાવૃત્યાગુણાવડે જેઓ યુકત થએલ છે એવા કર્મયોગીઆવડે આત્મજ્ઞાનપ્રદ ગુરૂ સેવાય છે. માન-સત્કાર, હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરૂની સેવા પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવાં વિનયાદિક કર્મ કરવાં જોઇએ. મહિષયાએ સદ્ગુરૂની સેવાપૂજાભક્તિમાં અનંત ફૂલ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરૂગીતાનું સ્મરણુ મનન વાચન કરીને શ્રી સદ્ગુરૂ સાહેબને વિનય વગેરે કરવામાં અશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરૂની ભક્તિ સેવાદિ કરનારા સજ્જના આત્મજ્ઞાનવડે પાપકર્મોને હટાવી સર્વ સપાને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરૂની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, અથવા જે જે અનુભવા પ્રાપ્ત કરવામાં આવે છે તે શુભ ફૂલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરૂપર પૂર્ણ પ્રેમ ધારા, તેમની સાથે તન્મય બની જાઓ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશે. ખાદ્ઘના કરતાં વિશેષતઃ હૃદયથી ગુરૂ ઓળખવા જોઇએ. ગાડરીયા પ્રવાહે ગુરૂના શિષ્યા ભક્તા બનનારા અનેક મનુષ્યેા હોય છે. પરંતુ શ્રી સદ્ગુરૂના સદ્વિચારાના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હાય છે. જેઓએ ગુરૂની પાસે રહીને જ્ઞાનરૂપ લેચન પ્રાપ્ત કર્યા છે એવા ભકતાવડે સર્વ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિકવ્યવહારમાં અને ધાર્મિકવ્યવહારમાં સદ્ગુરૂની સેવાવડે કર્મયોગી બની શકાય છે. અને સદ્ગુરૂના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરૂ પાસેથી પ્રતિદિન અપૂર્વાભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈ એ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણાધ્યાન અને સમાધિએ અષ્ટાંગયોગાની પ્રાપ્તિ કરાવે. પરમાત્મા
For Private And Personal Use Only