________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલોકન કરી શકાય છે. મંત્રી, પ્રમદ, માધ્યરથ અને કારણ્ય એ ચાર ભાવનાના વિચારેને મનુષ્યમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાન્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે. આ વિશ્વમાં મંત્રી આદિ ચાર ભાવનાઓના કડો ગ્રન્થ લખીને વા તેનાં કરે ભાષણ કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે પરંતુ મિત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તેજ આ ત્માની અનન્ત ગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશોન્નતિ કરવા માટે, સામાજિક ન્નતિ કરવા માટે, સંઘોન્નતિ કરવા માટે, ચાતુર્વર્સોન્નતિ કરવા માટે ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઈચ્છા રાખનારાઓ હોય તેઓએ ચારભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વરવાને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવાં જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનેનું હિત સમાયેલું છે. સામાજિકહિતીઓ દેશ સમાજ-સંઘ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. સ્વાર્થોનો ત્યાગ કર્યા વિના સામાજિકહિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિતદષ્ટિથી સામાજિકહિતરૂપ મહાસાગરને અવલોકી શકાતું નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાર્થી કર્મભેગી મનુષ્ય જેટલું દુનિયાના જનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્યમનુષ્ય કરી શકતા નથી. સામાજિકહિતકરકાર્યો માટે વ્યાપકદષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધની શાન્તિ કરી શકે છે અને સર્વ જીનાં દુઃખ દૂર કરવા આત્મગ આપી શકે છે. વિશ્વમાં શક્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્ર ગુણ સંપન્ન વ્યાખ્યાતાઓએ શાંતિકર વ્યાખ્યાને દેવાં જોઈએ અને સત્પરૂએ શાન્તિ કર્મના પ્રબન્ધાપૂર્વક અને ઈતર ઉપાયે પૂર્વક શાન્તિ થાય એવાં કાર્યો કરવાં જોઈએ. હાલ યુરેપી મહાવિગ્રહંથી સર્વત્ર વિશ્વમાં અશાન્તિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમાં દુઃખને અત્યંત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબન્ધા પૂર્વક સહુએ પ્રબલ પ્રયત્ન કરી જોઈએ. ક્ષાકર્મી અને વિશ્વકર્મા
For Private And Personal Use Only