SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૮ અને તેથી સવર્ણની ઉન્નતિપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારા વધારા કરે છે. પ્રાચીન સત્યવિચારેને અને આચાર-વિધિને–સંસ્કારોને નાશ ન થાય અને અસત્યને નાશ થાય તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમાં સર્વપરિસ્થિતિમાં અનુકુલતા જેથી રહે એવા સુધારાની આવશ્યકતાને કર્મયોગીઓ સ્વીકારે છે. જનધર્મમાં ચારેવણના અનકલ બંધબેસતા ધર્માચારે ધર્મવિધિ દરેક જમાનાને અનુસરે સંસ્કારિત થઈ તે જીવતરૂપથી પ્રવર્તતી હેત તે જેમકેમની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારોને મુખ્યતા આપીને જેઓ ગુણકર્માનુસારે ચારેવર્ણોની પ્રગતિમાં માંદ્ય સેવે છે. તેઓ અન્ત અન્ય કેમની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિક વેદાન્તિક લેકેએ ગુણકર્મોના અનુસારે ચારેવર્ણોની સ્વધર્મમાં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે હજી ઉન્નત થવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશ ધર્માર્થ સેવક કર્મયોગીઓએ વોંન્નતિ માટે સાત્વિકી જનાએ કરવી જોઈએ કે જેથી દેશેન્નતિ થાય. આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણ નાશ થાય છે. આધ્યાત્મિકબળથી દરેકવર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા, વિષયતૃષ્ણ સંકુચિત વિચારાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વવને નાશ થાય છે. લેભાગુ સુધારકેથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે અલ્પજ્ઞાન અને અતિહાનિને વિચાર કરીને વર્ણસંબંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાંતનું પરિપૂર્ણ રહસ્ય અવબોધ્યા વિના વર્ણવિભાગ વ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રોદ્વારા અધ્યાત્મજ્ઞાનને સર્વવર્ણમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐક્યબળથી વર્ણીન્નતિદ્વારા ધર્મોન્નતિ પણ સદા સ્થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યા વિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિશ્વજનેમાં પ્રગતિના હેતુઓ એક સરખા સ્થાયી રહે છે. અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy