________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૫
સુરક્ષા કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિને ત્યાગ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વ સમર્પણ કર્યા વિના વિશ્વના શુભવ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી અને તેમજ ધર્મવ્યવહારેમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મરક્ષણાર્થે જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવચંમૃતક સમાન મનુષ્ય છે. આત્મજ્ઞાનિમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યક્ આત્મસમર્પણ કરી શકે છે. તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધાર્મિમનુષ્યનું તથા નાસ્તિકમનુષ્યનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મએની રક્ષા કરવાની પ્રવૃત્તિને સ્વીકાર્યા વિના છૂટકે તે નથી. જે કાલમાં જે દેશમાં જે જે બાબતેથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અતએ જે કાલે જે દેશમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે ઉપાથી ધર્મરક્ષા થાય તેઓને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઈએ. કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે. ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે. એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુ જાણુ શકે છે. ધર્મથી જ સેન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેક જાતીય સંઘબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અનેક પ્રકારના પરસ્પર વિરૂદ્ધ ધર્મભેદમાં અનેકનની દષ્ટિવડે સત્યધર્મ ગ્રહણ કરે જોઈએ પણ નકામો ધર્મ કલામાં આત્મવીર્યને વ્યય ન કરે જોઈએ. અનેક શુભ શક્તિને ધર્મયુદ્ધ કરીને નાશ ન કરવું જોઈએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ' અવતરણુ–ધામિકમનુષ્યનું વિશ્વમાં અસ્તિત્વ સંરક્ષવા માટે રોગ્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ તે દર્શાવે છે.
अस्तित्वं व्यवहारेण, धार्मिकाणां यतो भवेत् । देशकालानुसारेण, कर्तव्यं कर्मभूतले ॥ १६८ ।
શબ્દાર્થ –ધાર્મિકમનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ જે કર્તવ્ય કર્મથી થાય તે કર્તવ્ય કર્મને દેશકાલાનુસારે કરવું જોઈએ.
For Private And Personal Use Only