________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૧ જે ધર્મના લોકોમાં ઉદારતા નથી તેઓના વિચારને અને આચારોને વિશ્વમાં પ્રચાર થતું નથી. વિષ્ણમાં ભક્તિને ગુણ મુખ્યતાને ભજે છે. બદ્ધમાં પોપકાર ગુણ મુખ્યતાને ભજે છે. પ્રીસ્તિમાં મનુષ્ય સેવા ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓમાં સન્તસાધુ સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનોમાં શ્રદ્ધા અને પરસ્પરભાતૃભાવ, ઐક્ય ગુણ મુખ્યતાને ભજે છે. જેમાં દયાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લેકમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણ ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણ વિના અન્ય ગુણની પ્રાયઃ સજીવનતા રહેતી નથી. જે ધર્મમાં સેવાની મુખ્યતા હોય છે તે ધર્મને વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ ને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણું જે ધર્મવાળા લોકમાં હોય છે તે ધર્મના સિદ્ધાંતે સામાન્ય હોય છે, તે પણ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ, સર્વત્ર વ્યાપક બની શકે છે. વિશ્વવતિ દુઃખી જના શ્રેય માં જે ધર્મ, ભાગ ન લેતે હોય તે ધર્મને કરેડ ગાઉથી નમસ્કાર થાઓ. વિદ્યાસત્તા અને લક્ષમીથી દેવગુરૂ ધર્મની સેવા કરવાની હોય છે. સર્વ જની વિદ્યાસત્તા લક્ષ્મીથી સેવા કરવાની હોય છે અને સર્વ જીના શ્રેયમાં સર્વ સ્વાર્પણ કરવાનું હોય છે એવું જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય, ધર્મના નામે પ્રસિદ્ધ હોય તે પણ તે અધર્મ છે. નાસ્તિવિચારેથી અને જડવાદથી ધર્મને લેપ થાય છે. સર્વજીને દુઃખને દિલાસો આપવા જે ધર્મના લોકો પ્રયત્ન કરે છે તેઓ ધર્મી બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ જીને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધમ છે, બાકી સન્તસાધુની સેવા વિના પિતાને કરેડે મનુષ્ય ધમ માનતા હોય છે તેથી તે ધર્મ સિદ્ધ થતા નથી. હજારે ગરીની જેઓ હાય લે છે અને ગમે તે ધર્મની ક્રિયા માત્ર કરે છે અને ટીલાંટપકાં કરે છે તેથી તે ધમ સિદ્ધ થતા નથી. સત્ય ગુરૂના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂની પૂર્ણ કૃપા વિના કદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરૂની કૃપા વિના વિદ્યાસત્તા, લક્ષ્મીથી પણ કંઈ આત્મકલ્યાણ કરી શકાતું નથી. અતએ પ્રથમ સદ્દગુરૂની કૃપા મેળ
For Private And Personal Use Only