________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે અધિકારી બની શકાતું નથી એમ બાહ્યધર્મવ્યવહારષ્ટિથી કથાય છે. બાહ્યપ્રગતિની સ્થાયી અવસ્થા, ધર્મોન્નતિના વખતે બની શકે છે. અએવ ધર્મોન્નતિ તરફ સદા ગમન કરનારી બાહોન્નતિ સાધવી જોઈએ. ધર્મોન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કર્મો કરવાં જોઈએ. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ્યાલમાં ધર્મકર્મપરિવર્તન થયાં, થાય છે અને થશે. સર્વ શુભ શક્તિને દેનાર એવાં દેશકાલાનુસારે ધર્મ કર્મો કરવાં જોઈએ. દેશ, કાલ, વય,સ્થિતિ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને સર્વશુભ શક્તિ વધે એવાં ધર્યકર્મો કરવાની જરૂર છે. આર્યોએ દેશકાલાનુસારે કર્મો કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં તેથી તેઓની અનેક શક્તિને નાશ થશે અને અનેક શુભશક્તિની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શક્યા નહીં. સર્વ શુભ શક્તિની વૃદ્ધિ થાય એ વર્તમાનમાં અનુભવ કર જોઈએ અને પશ્ચિાત્ શુભ શક્તિ પ્રદાયક કર્મોને કરવાં જોઈએ. કર્મો કરતાં કરતાં વૃદ્ધાવસ્થા થઈ જાય અને આત્માની શક્તિ વધે નહીં તો પશ્ચાત્ તેવા કર્મો કરવાથી કંઈપણ પ્રયજન સિદ્ધ થતું નથી. બહિર્મગતિ અને આન્તરપ્રગતિને પરસ્પરને દેશકાલાનુસારે શુભ સંબંધ હોય તેને ગૃહસ્થોએ ગૃહસ્થદશા હોય ત્યાંસુધી ત્યાગ કરે નહીં. અન્તરમાં અનેક પ્રકારની બાહ્ય શુભેન્નતિની લાલસાએ હોય અને તેઓને પરિપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવનમાં બાહ્યોન્નતિકારકકર્મોની પ્રવૃત્તિની સાથે ધર્મ કર્મો કરવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ બાહ્યવ્યાવહારિક આધ્યાત્મિકબળપ્રગતિ અને આરઆધ્યાત્મિકબળ એ પ્રકારનાં બળેથી વિશ્વમાં સર્વ મનુષ્ય સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે, વિશ્વવતિસર્વજીનાં દુઃખ નાશ પામે એવી આધ્યાત્મિક પ્રગતિદષ્ટિએ સર્વશક્તિપ્રદાયકધર્મ સેવા જોઈએ. સ્વાર્થમય શક્તિયેથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને ચાન્યને હાનિ કરી શકાય છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયસાચું છે, એવી પર માર્થષ્ટિપૂર્વક્સર્વશક્તિપ્રદાયકધર્મ સેવ જોઈએ કે જેથી સાર્થનીતિમયલઘુસંકુચિતવને નાશ થાય અને અનન્ત સુખમય ધર્મ વર્તુળમયજીવન પ્રાપ્ત કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકાય.
For Private And Personal Use Only