________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
ત્મજ્ઞાન ખળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્માનુ અસ્તિત્વ રહે છે માટે કદાપિ ધર્મના નાશ ન થવા દેવા જોઇએ. ધર્મની અનેકદૃષ્ટિયાથી અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઈ શકે છે. તે પૂર્વના ક્ષ્ાકાના વિવેચનમાં જણાવ્યુ છે. ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધર્મી મનુષ્યે એ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારકપ્રવૃત્તિયેામાં પ્રવર્તવું જોઇએ. અજ્ઞાનીમનુષ્ય. ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે બાહ્ય પ્રવૃત્તિયામાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી–ભેદ કરી ધર્મકર્મીના નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઆવિના સામાન્યક્રિયારૂચિને ધારણ કરી રૂઢિથી પ્રવર્તનારા ધર્મકર્મીમાં ગાડરીયાપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્યા ધર્મની રક્ષાના બદલે તેના નાશ કરે છે એવુ જાણી તેએનાથી ચેતતા રહેવું. આત્મજ્ઞાન વિના ઉત્તારભાવનાથી, વ્યાપકભાવનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનયશૈલીથી ધર્મકર્મની સુધારણા થઈ શકતી નથી. જેઓને સુધારવાના છે તેને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઈએ કે જેથી તેઓને ધર્મકર્મના સુધારાઓને સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મકર્મી સુધારીને સમાજપ્રગતિકારક, સંઘપ્રગતિકારક અને આત્મપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય. ધર્મરક્ષકજ્ઞાનિમહાત્માઓએ સર્વજ્ઞાનાવરણીયાદિકમાંને નાશ થાય અને આત્માના અનંત આનન્દ પ્રકટ થાય એવી દૃષ્ટિએ ધર્મવૃદ્ધિકરકર્મો કરવાં જોઇએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિકકર્તવ્ય કર્મોના મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મરક્ષાકારકમહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદકરીને ધર્મવૃદ્ધિકર કાર્યાં કરવાં જોઇએ. સર્વજીવા જ્ઞાનાવરણીયાદિકના નાશ કરે અને આત્માના અનન્ત આનંદના અનુભવ કરે એ દૃષ્ટિએ તેઓ ધર્મકર્મમાં પ્રવર્તે એવા ખાધ આપવા જોઇએ, અને એજ દૃષ્ટિએ ધર્મકર્મની રક્ષા કરવી જોઇએ. ધર્મકર્મીમાં દેશકાલ પરત્વે અનાદિકાલથી અનેક પરિવર્તન થયા કરે છે, તેમાં સ્વાધિકારે યોગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તના કરી તેને સ્વાધિકારે આદરી, અઢાવીને ધર્મની રક્ષા થાય એવીરીતે જ્ઞાનિમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યના પ્રકાશ થતા નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઇએ.
૧૦૯
For Private And Personal Use Only