________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૩ દેશકાલાનુસારે આજસુધી પરિવર્તિને થયા કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તને થતાં નથી અને જે મનુબેમાં આગમે અને આર્યવેદના અનુકૂલ પ્રગતિશીલ પરિવર્તન ગુરૂની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મ અને ધર્મની સમાજનો વિશ્વપટ પરથી લેપ થાય છે. શ્રીશંકરાચાર્યે તે સમયને અનુસરીને વૈદિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારેમાં અને આચારમાં પરિવર્તન કર્યો અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિના અનુકૂલ રચના કરી તેથી તેણે બોદ્ધ ધર્મપર ફટકે લગાવ્યું અને જૈનધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બાદ્ધના તત્ત્વોને રહ્યા તેથી રામાનુજાચાર્ય તેને પ્રછન્ન બૈદ્ધ કળે છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચાર શ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેદાન્ત ધર્મમાંજ સમયને અનુસરી ફેરફાર કર્યો. આ પ્રમાણે વેદાન્તધર્મમાં આચાર્યોએ તે તે દેશકાલાનુસારે ફેરફાર કર્યા અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માચારોમાં તેતે વર્તમાનકાળમાં અનેક પરિવર્તન કર્યો અને વળી એટલા સુધી છૂટ મૂકી કે, વ્યાસસૂત્ર-ઉપનિષદ અને ભગવદુગીતા ઉપર ગમે તે તને ઉપજાવી મૂળ કલેકેને બંધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શિલીથી બદ્ધોના અને જૈનેના ઉદયકાલમાં જે ધર્મની સંકીર્ણદશા થઈ હતી તે ધર્મની પુનઃ વૃદ્ધિ થઈ. દરેકધર્મના મૂલ ઉત્પાદક આત્મજ્ઞાની મહાત્માઓના એ પ્રમાણે દેશકાલાનુસારી વિચારે હેય છે. પરંતુ પાછળથી અજ્ઞભક્તિ અને અજ્ઞગુરૂઓની પરંપરા વહે છે તે તે ધર્મની સંકુચિતતા થવા લાગે છે અને પરિણામે તે ધર્મનું અસ્તિત્વ વિશ્વમાં તેવી સમાજના રૂપમાં રહેતું નથી. પરંતુ તે ધર્મના સર્વિચારનું અન્યધર્મો જે હયાતી ધરાવે છે તેમાં પરિણમન થાય છે અને તે ધર્મના મનુષ્ય અન્યજીવતા ધર્મમાં દાખલ થાય છે. અતએવ વર્તમાનકાલીનગીતાર્થ ગુરૂઓ, આગમ અને આર્યવેદ વગેરેના અનુકુલ સદ્દવિચારેથી જેજે ઉન્નતિકર પરિવર્તન કરવા ધર્મકર્મો કરવાની આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાની સદ્ગુરૂઓના સવિચારના અને તેમના ઉપદેશના પ્રતિકુલ અજ્ઞકે થાય છે તેથી તેઓને અનેક પરિષહે
૧૦૫
For Private And Personal Use Only