SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩૦ સમર્પણ કરવાથી નિર્દોષ કર્મયોગને માર્ગ ખુલ્લે થાય છે. શ્રી વિતરાગ સર્વજ્ઞપ્રરૂપિતઆગમેએ જે જે કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા કરેલી હોય અને નિગમેએ-આર્ય જૈન વેએ જેજે આજ્ઞાએ સ્વાધિકારે કર્તવ્ય કર્મોને માટે કહેલી હોય અને જ્ઞાનગીતાર્થ ગુરૂઓએ સ્વાધિકારે તેને નિર્ણય કર્યો હોય તેને કર્તવ્ય કર્મોને કરવો જોઈએ. આગમે, આર્યનિગમે, આર્યોપનિષદ, ગ્ર વગેરે સદ્ગશ્વેના આધારે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કડો વર્ષથી આત્મજ્ઞાનીઓ જેજે થયા તેઓએ પિતાના અનુભવને શાસ્ત્રોમાં દાખલ કર્યો છે તે અનુભવને નાસ્તિક બનીને એકદમ હસી કાઢવા એ કઈ રીતે એગ્ય કર્તવ્ય નથી. આત્મજ્ઞાનીજીવન્મુક્તમહાત્માઓના અનુભવના સંગ્રહે રૂપ શાસ્ત્રોને સૂફમદષ્ટિથી અભ્યાસ કરે જોઈએ અને તેથી પૂર્વના સમાજના વિચારોનું અને આચારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આગમે અને આર્યદે, આર્યોપનિષદ્ તથા આચાર્યોના ગ્રન્થ વગેરેને અભ્યાસ કરીને આનંતિ કરવા સ્વાધિકારે ગુજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આર્યપુરાણે આર્યગ્રન્થ વગેરેમાંથી જેજે સત્યે પિતાને મળે તે ગ્રહણ કરવા જોઈએ. આર્ય આગમે, આર્યવેદ, ગ્રન્થ વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાર્થને અનુભવ અને પશ્ચાત્ સ્વામીને તેમાં પ્રગટતે અનુભવ એ ત્રણથી ઐકય કરીને ધર્મકર્મ કરવાં જોઈએ અને લિકિક વ્યાવહારિક કાર્યોમાં પણ વર્તમાનકાલીન અનુભવી કર્મ ગીઓની સલાહ લેઈ પ્રવર્તવું જોઈએ. ભૂતકાળનાં આગમને, આર્ય વેને હૃદયમાં ધારણ કરીને આત્મજ્ઞાની ગુરૂઓ વર્તમાનકાલને અનુભવ કરે છે તેથી આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાની ગુરૂઓ ત્રણ્યકાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન રૂ૫તત્ત્વજ્ઞાન માર્ગની એક સરખી સ્થિતિ અવધે છે અને ધર્માચારોમાં પરિવર્તને તે દેશકાલાનુસારે અનેક જાતનાં થયા કરે છે એવું અવધે છે. તેથી વર્તમાનકાલમાં ગ્ય ધર્મે કર્મ કે જેથી સ્વાત્માની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે, અને લિકિક-વ્યાવહારિક કર્મોમાં કયાં પરિવર્તન કરવાં જોઈએ તે પણ પ્રબોધી શકે છે. આત્મજ્ઞાની ગુરૂઓના અનુભવેમાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy