________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૩ માત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવતિ મનુષ્યોને ઉદ્ધાર કરવા સધર્મકર્મને સેવે છે તે અન્યમનુષ્યએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. આત્મામાં વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ સેવા, ઉપાસના અને કર્મયેગને સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનેને ધ્યાઈ શકાય છે. પશ્ચાતુસર્વકર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્યપરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘન પદભાવાર્થ અને પગદીપક પુસ્તક વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માએ ગૃહસ્થ ધર્મ કર્મવડે અને સાધુ કર્મ ક્રિયા વડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્મતાને પ્રકટાવી શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિ રૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુષ્ય સ્વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્માસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપે પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુનાં દુખેને તરી જાય છે. એવા અન્તરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સર્વ જીવેને ઉદ્ધાર થાય છે.
અવતરણ–આગમ નિદિષ્ટ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કર્મોને સેવવાં જોઈએ. તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાબલે પ્રવૃત્તિ કરવી જોઈએ. તે જણાવવામાં આવે છે. ભાજ્ઞયા જ્ઞાનનાં સેવ, કતાર્થ નૈ ગુમના सुभक्तिश्रद्धया कर्म, संप्राप्त क्रमपूर्वकम् ।। १५१ ॥ आगमैर्यच निर्दिष्टं, देशकालानुसारि यत्। ज्ञानिनामाज्ञया प्राप्तं, कर्तव्यं धर्म कर्म तत् ।। १५२ ।। नकार्यःसंशयस्तत्र, शङ्कावान् पतति ध्रुवम् । पूर्णश्रद्धाबलेनैव, श्रद्धावाल्लभते जयम् ॥१५३॥
For Private And Personal Use Only