________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ઉભયબ્રણ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતાં સદષપ્રવૃત્તિ સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યાં સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાય છે. ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવાં જોઈએ અને જદારે ફ્રિજદારના અધિકારપ્રમાણે યાવત્ એ સ્થિતિ છે તાવત ફજદાર એગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે. જે જે મનુષ્ય પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે અન્તથી નિર્લેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચ્ચદશાના અધિકારને પ્રાપ્ત કરવા રોગ્ય બની આભવમાં વા પરભવમાં ઉપરની ભૂમિકાના ગુણોને
સ્પર્શે છે. જે વિદ્યાર્થી પ્રથમ ધરણના શિક્ષણકર્મને અધિકારી છે તેને બી.એ. ના કલાસમાં બેસાડવામાં આવે છે તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ.ના અધિકારી વિદ્યાર્થિને પ્રથમ ધોરણની કલાસમાં બેસાડીને ગંધવામાં આવે છે. તેથી તેને લાભને સ્થાને હાનિ છે તદ્વત જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરૂદ્ધ અનધિકારોગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે યોગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્યકર્મને ઉપદેશ દેવામાં આવે અને કર્તવ્યકર્મો તે તે દશા પ્રમાણે તે કરે તે સ્વાધિકાર એગ્ય કર્મપ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉચ્ચ એવી અનુકમ ઉચ્ચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે, અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમાં સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરહતે જાય છે. અએવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવધવું કે સ્વસ્વાધિકારદશાગ્યપ્રવૃત્તિનું સમ્યજ્ઞાન કરી અને તેનાં પ્રજને–રહસ્ય અવધી કર્મયેગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી અને અધિકાર પરત્વે
For Private And Personal Use Only