________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮ નિમિત્ત ભેદ પડે છે. પરંતુ અધ્યાત્મહષ્ટિથી એક સાધ્યતાને ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત્ તેઓમાં કંઈ પણ કલેશનું પ્રયોજન નથી. જે ધર્મ, વિશ્વવ્યાપક હોય છે તેમાં અસંખ્ય વેગે અસંખ્ય કિયા ભેદ પડે છે. પરંતુ તેઓની મુક્તિરૂપ સાથ્થતા તે એક સરખી હોય છે. તેથી મતિ ત્યાં યુક્તિને ખેંચી ગરછના ભેદે આગમોના આધારેજ વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસત્ય ક્રિયાઓને કથનારા ઉપદેશકેના ઉપદેશથી મુંઝાઈને હૃદયના સંકીર્ણ, કદાપિ ન બનવું જોઈએ. અસંખ્ય મુક્તિના ગો છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદે પડે છે તેમાં ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુષ્ટિથી દેખે છે તેઓ સર્વ પ્રકારની ભાષાઓના તથા સર્વ પ્રકારના ગ્રન્થના જ્ઞાતાઓ હોય, પરંતુ તેઓ ક્રિયામાહી અજ્ઞાની, રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવબોધવું. જેઓ પૂર્વાચાર્યોના ઓઠાં તળે સ્વમત ક્રિયાઓમાંજ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓને સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ જેઓ અન્ય ધર્મક્રિયાઓ કરનારાઓને સમૂળ નાશ કરવા ઈચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તેઓ પોતાને મુક્તિના દલાલે માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીઓ દયાને પાત્ર છે. તેઓનાથી આત્મોન્નતિ અને વિન્નતિમાં ભાગ આપી શકાતું નથી. જે ધર્મક્રિયાઓથી કષાને નાશ થાય અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રકટે છે તે ધર્મક્રિયાઓમાં બાહ્યથી ગમે તેવા ભેદે હોય પરંતુ તેમાં ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવધી. રવગ્ય ધર્મક્રિયાઓ કરવી. પરંતુ અન્યની ધામિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરે નહિ. સર્વ મનુષ્ય મેક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મક્રિયાઓને ઈચછે છે તે પછી જે જે કિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરૂ ધર્મની આરાધના થાય, તે શામાટે બાહ્ય ભેદે લડવું જોઈએ? જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી સ્વધર્મકિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કહે છે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રને સ્વપક્ષનાં શસ્ત્ર બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વને, સમાજ, સંઘને, ધર્મને, શાસનને અને સર્વ પ્રકારની ઉન્નતિને નાશ કરનારા, બહિરાત્માઓની એવી દશા
For Private And Personal Use Only