________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૭ ભેદોને અવિધિપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરૂદ્ધ કિયાઓના ભેદનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રગટતી વિષમતાને ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકારે સમાનતાથી સ્વયેગ્ય કર્મ કરતે છતે મુક્ત નિર્લેપ થઈ શકે છે. સમમાઘમઘતારમજ્ઞાન ક્રિયાના ભેદમાં મુકાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર સેવે છે. પરંતુ તેમાં આસક્ત થતું નથી તેથી તે વિધવતિ ! ગમે તે ધર્મમાં રહે છતે પરમાત્મપદ પિતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવતિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારે અને પાપાચારેથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મ કિયા અવધવી. અવિરતિ સમ્યગ દ્રષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમતગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માઓની ક્રિયાઓ, ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતાં ગુણસ્થાનકની દષ્ટિએ પરસ્પર સાપેક્ષ દષ્ટિથી અવલેતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતું નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનક વતિસર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમદ-માધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતિને અવિરતિ સમ્યગ્દષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ટતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતાં લાગે ખરૂ પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પિતાના કરતાં નીચ પાનપર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની ક્રિયાઓ પર પ્રશસ્યભાવ રહે છે. તથા સમભાવ વર્તે છે. તેથી તે રવમનની સમતલતાને સંરક્ષી સ્વયેગ્ય ધર્મ પ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યોની ભિન્ન ધર્મ કિયાઓમાં મુંઝાતું નથી. આવી આત્મ જ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ કરતો છતે પણ નિઃસંગ રહે છે. પ્રત્યેક ગુણ સ્થાનકવતિ મનુષ્યમાં પણ બાહામાં કિયાભેદ પડવાના અને તે દેખાવાના. પરંતુ તેમાં મુંઝાવાનું કઈ પણ પ્રજન નથી. બાહ્ય દ્રષ્ટિથી કરાતી બાહ્યાની ક્રિયાઓમાં રોગના અસંખ્ય ભેદે અસંખ્ય
For Private And Personal Use Only