________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C૫
અવનતિ દુઃખમય બેડીમાં જકડાય છે, તેથી તેઓની એવી માન્યતા કરતાં કે ગમે તે રેગ્યધાર્મિક ક્રિયાને કરે છે અને અન્યની વિરુદ્ધ ન પડતાં આત્માની શુભ શક્તિને ખીલવે છે તે તે શાસ્ત્રોક્ત કિયાને હરાવ્યા વિના પણ સત્યશાસપ્રતિપાદિત કિયાને કરે છે એમ અવધવું. ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરેપકાર, દેવગુરૂ દર્શન આદિની પ્રાપ્તિ કરાવનારી સલ્કિયાઓ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમાં કંઈ કંઈ ફેરફાર જણાય તે પણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણું ભિન્ન કિયાએ ભેદે કદિ મુંઝાવું નહીં. ગૃહસ્થાએ અગર સાધુઓએ
સ્વાધિકારે પ્રગતિકર ક્રિયાઓને કરવી. પરંતુ અવનતિકરક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે કિયાભેદ અનાદિકાળથી થયા કરે છે. કરેડા વર્ષના કેઈ મહાન ગ્રન્થ ગણાતા હોય પરંતુ વર્તમાન જમાનામાં તેઓ વડે પ્રતિપાદિત કિયાઓથી સ્વને, સમાજને, સંઘને, દેશને, ઉદય ન થતું હોય તે તેવી પ્રાચીન કિયાઓને વહેરાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જડ પત્થરની પેઠે પ્રગતિ પરિવર્તનથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરકિયાઓને જણાવી હોય અને તેની પ્રવૃત્તિથી સર્વ પ્રકારની શુભ શક્તિની પ્રાપ્તિ થતી હોય તે કરેડો વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાઓ કરતાં તે કોડ ગણી ઉત્તમ છે. અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તેથી તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભેનતિ થાય તે કિયાઓને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવું. હજારો વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિ યંત્રથી તુર્ત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડવે જોઈએ? આત્મામાં અનંત જ્ઞાનની શક્તિ છે તેથી તે પ્રગતિકરક્રિયાને પરીક્ષે છે અને તેને અગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓને નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભાષ્યવસા
For Private And Personal Use Only