________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શક્તિને પાર પામી શકાતું નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરે નહિ. જ્ઞાનધ્યાનમાં લીન રોગીઓ સ્વતંત્ર કર્તવ્યકર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી પણ જે કંઈ તેઓ કરે છે તે બાહાથી કરે છે તે તેઓના આશયે અવબોધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાન ધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બાલાજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કેઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. જ્ઞાનધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિશ્વના લોકોને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશમાં ટેલસ્ટેય, રરકીન, પેગેરસ સેક્રેટીસ કાન્ટ જેવા તત્વવેતાએથી અનેક લાભે પ્રગટયા છે. આર્ય ભૂમિતે સર્વ દેશની ગુરૂ સમાન છે. આર્યાવર્તમાં મહા યેગીઓ, મહા ધ્યાનીએ, મહા જ્ઞાનીઓ પ્રગટયા છે. ભારત ભૂમિનાં જેટલાં યશોગાન કરીએ તેટલાં ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામાં આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાત્માઓ નથી. એમ કથંચિત્ દષ્ટિએ કથી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માએ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણાને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુષ્યથી કદિ બની શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓ આત્મશક્તિને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમાં, એકાન્ત સ્થળમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તે પણ તેઓ હૃદયમાં આત્મધ્યાનની કંઈ યિા કરીને તેના આન્દોલનથી જગને અપૂર્વ લાભ આપે છે. મન, વચન અને કાયાના પેગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્કિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતવાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શું કરે છે. એવી સ્થિતિવાળા જ્ઞાની મહાત્માઓને કેટલાક અજ્ઞ જડ લેકે જગમાં નકામાં પડી રહેલા માને છે. તેઓ દુનિયામાં કઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્ય કથે છે પણ તેમાં તેની ભૂલ છે. રાજાના મંત્રીઓ તવ
For Private And Personal Use Only