SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષ સેવે છે તે પણ તે અહેમમતાના ત્યાગથી અજ્ઞાની કસ્તાં અનન્તગુણે ત્યાગી અને નિષ્ક્રિય છે. અહંમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તે પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંમમતાથી સંપૂર્ણ દુનિયાને ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તે પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધીકારે બાહ્યકર્મોને અનીચ્છતે છતે પણ કરે છે અને તેથી તે આચરણવડે દુનિયાના અજ્ઞ લોકેને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને અહંમમત્વ ત્યાગ્યાના કેટલાક લેકેનિક્ય બની જાય છે તેથી તેઓ કર્મચાગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારત વર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદ્ભવે છે. તેઓ લેક કલ્યાણકારક કર્મોમાં લેકેને રોજે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાને અધિકાર તેઓને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તમાં સૂક્રમમાં સૂક્ષમ ધ્યાનના વિચારે કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્રિયા છે તેની સિદ્ધિથી જગતના કેપર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લકેથી કદાપિ ન થાય એવી ધ્યાનક્રિયાની સમાધિમાં આરૂઢ થાય છે. સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતું નથી અને પરમાભાને સાક્ષાત્કાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન સમાધિની સૂક્ષમ કિયા કે જે અક્રિયા જેવી બાહાથી જણાય છે તેને કરીને જગતના કેની આગળ અપૂર્વ લાભ ખડે કરે છે અને તેથી દુનિયાના લેકે દુખસાગરને તરી જાય છે. શ્રી ચવીશમાં તીર્થકર મહાવીર પ્રભુએ બારવર્ષપર્યન્ત આત્મધ્યાનરૂપ સૂક્ષમ ક્રિયાનું સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યું હતું તેથી તેમના આત્મામાં કેવલ જ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લેકેને ધર્મને અપૂર્વ લાભ આપીને પાપના માર્ગોને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દુસ્થાન પર સ્વારી કરી હતી તે પાછા વળીને પિતાના દેશ તરફ જતે હતું ત્યારે તેને સિધુ નદીના કાંઠા પર એક ગીની મુલાકાત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy