________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૬ વિવેચન –આત્માની સર્વ શક્તિને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે પરિપૂર્ણ સ્વત્કાન્તિ અવબોધવી. સર્વ જીવોની યથાશક્તિ ઉન્નતિ થાય અને ન્નતિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવું શુભ કર્મ કરવું જોઈએ. પિતાના આત્માની અને અન્યના આત્માઓની અવનતિ થાય તે માટે દુષ્ટ પાપી લેકે અશુભ કર્મ કરે છે. કામકેધ વાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. મહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઈ, તેથી અધુના પણ ભારતવાસીઓ ઠરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ ફલને તે પ્રાપ્ત કરે છે, અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પિતાના આત્માના જ્ઞાનાદિગુણોની જે જે કર્મો કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી. જેનાથી સ્વાત્માની શક્તિને પ્રકાશ થાય છે તે વધર્મ છે, અને જેનાથી સ્વાત્માની શક્તિ નાશ થાય તે રાગદ્વેષાદિદરૂપ પરધર્મ છે. વધર્મ કરવામાં મરણ શ્રેય છે, અને રાગદ્વેષાદિનેહરૂપ પરધર્મમાં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સ્વસ્વભાવ રમણતારૂપ સ્વધર્મ છે. પોતાની ચેગ્યતા પ્રમાણે જે કર્મ કરવાં તે સ્વધર્મ છે, અને એ ગ્યતા વિના અધિકારવિના અનાવશ્યકકર્મ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંઘની પડતી થાય, કુટુંબની પડતી થાય, વણેની પડતી થાય, અને પિતાની પડતી થાય એવાં જે કર્મો હોય તે શુભ કર્મ ગણાય નહિ. જેનાથી સમાજમાંથી નિતિક તને નાશ થાય એવાં કર્મોને શુભકર્મ કથાય નહિ. વિદ્યા, જ્ઞાન, યોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન, વગેરે શુભ ગુણને જે નાશ કરનારાં કર્મો હેય તે શુભ કર્મમાં ગણાય નહિ. જે કમથી રાગદ્વેષની વૃદ્ધિ થાય, અને નાસ્તિકતાની વૃદ્ધિ થાય, તથા જેથી અન્ય લોકોને દરેક જાતની ઘણું હાનિ થાય, તેને અશુભકર્મ કથવામાં આવે છે. સર્વ વિશ્વવતિ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેના ભલામાં જે ભાગ લેવાનાં કર્મો હોય છે તેને શુભકર્મ કથવામાં આવે છે. દેશની,
For Private And Personal Use Only