________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦ કાર્યો કરવામાં પરધર્મત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્મોમાં નિતષત્વની નિશ્ચયતા જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પરાબ થવાને વિચાર રહે છે. અએવ સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યોમાં નિર્દોષત્વ અવબોધીને પ્રવૃત્તિ કરનારા આત્માર્પણ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્યમાં સદોષત્વ લાગવાથી ત્યાંથી નિવૃત્તિ થાય છે. કર્મોમાં દવ્ય ક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદષત્વ તથા નિર્દોષત્વ છે. કેટલાંક કાર્યો તે તેના બાહ્ય હિંસાના રૂપથી સદોષત્વ કથાય છે પરંતુ કેઈને વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કર્મબંધકર્તા તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કેઈ કાર્યમાં સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદષત્વ રહેતું નથી. નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ સદોષ વા નિર્દોષ કર્મને ગૃહસ્થ કહે છે તેમાં અન્તથી તેઓ નિર્લિપ રહે છે તે તેઓને કષાયિક કર્મબંધ થતા નથી. ભરતરાજાએ બત્રીશહજાર દેશનું રાજ્ય કર્યું પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી તે અમુક દષ્ટિએ તે કાર્યોની સદોષતામાં પણ નિર્દોષ રહી શકે તે પ્રમાણે અજે પણ દ્રવ્યહિંસાત્મક અમુક કાર્યોમાં સદષત્વ છતાં અમુકનિર્તપદષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કર્મ સદોષ હેય છે. પરંતુ તે જ્ઞાનિની દૃષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કર્મ અમુક જ્ઞાનીની દષ્ટિએ સદોષ હોય છે તે અમુક મૂહની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધર્માજી જે કાર્યોને સદેષ કથે છે તે કાર્યોને નાસ્તિકે નિર્દોષ જણાવે છે. સર્વ કર્મોમાંથી સદષત્વમાં અને નિર્દોષ ત્વભાવના જેની ઉઠી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમભાવશે શુભાશુભત્વ ન હોવાથી તેઓને કંઈ પણ સદષત્વ વા નિર્દોષત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી. સુજ્ઞોએ સમજવું કે કર્મોમાં અમુકાપેક્ષાએ સદોષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દોષત્વ છે. આ મામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કામ થાય છે તે બંધન માટે થતાં નથી. ઈત્યાદિ સદોષ અને નિર્દોષકર્મસંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાનીકમગીઓથી તેનું
For Private And Personal Use Only