SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી આચરતે તે નિષ્કિય જે દેખાયા છતાં પ્રમાદી અને સ્વકર્તવ્ય કર્મ ભ્રષ્ટ છે એમ અવધવું. જ્ઞાનની પ્રાપ્તિની કસોટી ખરેખર કર્મયોગથી થાય છે. જે સ્વાધિકારે કર્મયોગમાં પ્રવર્તતે છતે સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનની વિશુદ્ધતાપરિપકવતા થાય છે અને તેના જ્ઞાનયેગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કર્મવેગમાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કર્મયુગના રાજમાર્ગની દષ્ટિથી અવલોકતાં અન્ય કશાથી થતી નથી. રાગ દ્વેષને જય કર, સમભાવ રાખવે ઈત્યાદિ ઉપદેશની મિષ્ટતા સર્વને લાગે છે પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં તે વખતે રાગ દ્વેષના સંગે મળતાં રાગ દ્વેષ ન થાય એવી રીતે વર્તીને જે કર્મ કરવાં તેમજ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે. મન, વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે વા કર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વને કર્મવેગ યાને કિયાગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયેગ, સેવાપ્રવૃત્તિયેગ અને જ્ઞાનપ્રવૃત્તિયેગ વગેરે અનેક બાહ્યગને કર્મયેગમાં અન્તર્ભાવ થાય છે. અત્ર શુભ અને શુદ્ધ એવા બે ભેદ અખ્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને નિશ્ચયિક ધર્મની અપેક્ષાએ કર્મવેગના અવબોધવા. કર્મવેગનું સાધ્યબિંદુ ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવધીને કર્મવેગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈએ. - વ્યાવહારિક આજિવિકા હેતુઓની પ્રવૃત્તિને આદર્યા વિના અને તેનું સંરક્ષણ કર્યા વિના વ્યાવહારિક સ્વકીયસ્વાતંત્ર્ય જીવન કદાપિ સંરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજિવિકાના ઉપાસેથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યનું દાસત્વ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં વ્યાવહારિક પારdવ્ય બેધમાં સપડાવાની સાથે ધાર્મિક જ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિમાં પાતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિકસામ્રાજ્ય સ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્ય સ્વાતંત્ર્યની જાહેરજલાલીને ભાનુ અસ્ત થાય એ પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આર્યદેશીઓનું વર્તમાન સમયમાં માન્ત પ્રવર્તતાં પાશ્ચાત્ય દેશીઓએ સ્વ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy