SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૦ ડાળાં વગેરેનું જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ ભેદમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રને જ્યાં સુધી સજીવન રસ વહે છે ત્યાં સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતે બંધ થઈ જાય છે ત્યારે તે તે ગોને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળ ડાળીઓ પરસ્પર ભિન્ન હોવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકબીજાને નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યએ આમરસ, બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ અને પરસ્પર એકબીજાને નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઈએ. અનન્તબ્રહ્મની વ્યાપકતાના અનન્ત વર્તલમાં જેમ સર્વને સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધર્મમાં સર્વ ગને અને સર્વ દર્શનેને સમા વેશ થાય છે. અએવ સર્વ ગરવડે પૂર્ણ મહાસંઘની પૂજ્યતા સ્વીકારીતેને સમષ્ટિ બ્રહ્મ–પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઈએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. અનેક આત્માઓ મળીને મહાસંઘ થાય છે તેથી સંપુરૂષોએ મહાસંઘની પૂજા કરવામાં આત્માણ કરવું જોઈએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સર્વે આમાઓના સમૂહને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેઓની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપને નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સર્વ દર્શનેને જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જેને દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હેવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ જૈન દર્શનની આરાધના કરવાથી સર્વની આ રાધના કરી શકાય છે. સર્વ મહાનદીઓ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગને આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સર્વ નદીઓ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધર્મએ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્મો, દર્શને, ધર્મના પળે છે તે સર્વને અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે, અને જૈન દર્શનને શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મવરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવતિ સર્વ જૈને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy