________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
અતએ સ્વાશ્રયી આત્મવીર્ય સફેરવી આત્મશક્તિને ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જે બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાર્ગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાંજ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન–વાણું અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્ય ક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થોએ ધર્યપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમાં તથા ધામિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. સ્વધર્મને, સ્વકેમને ઉદ્ધાર પોતાના હાથેજ થવાનું છે. અન્યનું દેખાદેખી અનુકરણ કરવાથી કદિ સ્વાત્મોદ્ધાર તથા સમાજસંઘેદ્ધાર થવાનું નથી. સ્વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે, માટે કદાપિ આત્માને ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિકેમ સેવા ઈત્યાદિકાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વયિંગ્ય શક્તિને પ્રગટ કરવી અને ધર્મકર્મ પ્રવૃત્તિમાં ઉપયોગ રાખવે.
- અવતરણુજેજે ભિન્ન ભિન્ન કર્મોથી આત્મોન્નતિ થાય તેને કને દ્રવ્યાદિકયેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબંધે છે. भिन्नभिन्नक्रियायोगै, ये पैंरात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः॥९२५॥ मुक्तिरसंख्ययोगैःस्यात् , सर्वज्ञेन प्रभाषितम् । साम्ययुक्तेन चित्तेन, कर्तव्याःस्वीयशक्तितः॥१२६॥
શબ્દાર્થ –જેજે ભિન્નકિયા અર્થાત કર્મયોગ વડે આત્મોન્નતિ થાય તેને પ્રશસ્યક દ્રવ્યભાવથી કરવાં જોઈએ. અસંખ્ય રોગથી મુક્તિ છે એમ શ્રી વીર પ્રભુએ કચ્યું છે માટે અસંખ્ય ગોમાં પરસ્પર વિરૂદ્ધતા ન ધારતાં સામ્યયુક્ત ચિત્તવડે સ્વયશક્તિથી જેજે. કર્મો કરવા ગ્યા હોય તે કરવાં.
For Private And Personal Use Only