________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
આત્મારૂપ બ્રહ્મમાં લીન થઈને પંચમઆરાની (કલિયુગ)ની વર્તમાનદશા અવલેકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનું સ્વરૂપ અવબોધી વ્યાવહારિક કર્મોને તથા ધર્મ કાર્યોને કરવાં જોઈએ. આપત્તિકાલમાં સર્વ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ વાસ્તિત્વજીવન જીવવું પડે છે. હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલજેવું છે. જેમ કે મને તે હાલમાં આપત્તિકાલને અનુસરી જૈન કેમની અસ્તિતા રાખવા આ ધર્મ સેવવાની આવશ્યકતા શીર્ષપર આવી પડી છે. જેમકેમના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગમાર્ગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપદ્ધર્મના નિયમને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સર્ગમાર્ગનાં કર્મ કરવાથી વિશેષ પતિતદશા પ્રાપ્ત થાય છે અને તેમને ઉદ્ધાર થઈ શક્યું નથી. સાધુઓને આપદધર્મ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચેથા આરામાં રચાયેલાં સાવચાર સંબંધી ઉત્સર્ગ માર્ગનાં સુત્રવડે તેઓ વર્તમાનમાં અન્ય કેમેના સાધુઓની પેકે આસ્તિત્વસંરક્ષી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાર્ગથી આપદ્ધર્મકર્મપ્રવૃત્તિની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી કથવામાં આવે છે. ઘણા એકાન્તિક રઢિક આચારના બેજાથી દબાયલી કેમને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારેની વૈગિકશિલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેકેપર ઘણું કાયદા પડે છે તે દેશને તે કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઉભા રહે છે. જે કામમાં આપત્તિકાલ સમયે આપતધર્મકર્મોને સેવાતાં નથી તે કેમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કેમના ગુરૂઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી. દરેક બાબતમાં પોતાને એકાન્ત દાસજ માની બેઠેલી કેમ ઉદ્ધાર કરવા માટે શ્રી વીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિ ખીલ્યાથી આત્મા તેજ પરમાત્મા બને છે. આત્માની અનંતશક્તિ ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કઈ પિતાને ઉદ્ધાર કરી શકતું નથી.
For Private And Personal Use Only