SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૦ કઈ તેઓની મહાત્મદશામાં ન્યૂનતા થતી નથી, પરમબ્રહ્મમાં લીન થએલ સર્વ મહાત્માઓની બાહ્યકર્મપ્રવૃત્તિ એક સરખી હોય એ સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રયકાલમાં બની શકે નહિ. પરમબ્રહ્મમાં લીન થએલ કર્મયોગીઓ, જ્ઞાન ભેગીઓ, પ્રારબ્ધને અનુસરી બાહ્યકર્તવ્યતા કરતા છતા પુનઃ સંસારમાં દુઃખને પામતા નથી કારણ કે દુઃખને સર્વથા નાશ થયા પશ્ચાત્ પરમાનન્દ પ્રગટે છે તેમાં શાતા અને અશાતાના પ્રારબ્ધભેગથી વિક્ષેપ આવતું નથી. પરમબ્રહ્મ લીન મનુષ્યનું પરમકર્તવ્ય એ છે કે સર્વ જીવોને પરમ બ્રહ્મનું સમર્પણ કરવું, પિતાના આત્માને પરમબ્રહ્મનું સમર્પણ જે કરતા નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણ કરતા નથી તે અને પરમાનન્દનું સમર્પણ કરવા શક્તિમાનું થતું નથી. સર્વ જેને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એજ વિશ્વની પરમસેવા છે. એ જ પરમદાન છે અને એજ પરમ પરોપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એજ પરમભાવદયા છે. અને એજ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધપગ પ્રગટે છે ત્યારે પિતાના બ્રહ્માનન્દનું પિતાને તથા વિશ્વને સમર્પણ થાય છે. શુપગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યાં શુદ્ધ પગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપગ છે તેજ આત્માને સાક્ષાત્ કાર છે, અશુભેપચેગ અને શુભપગ એ બે ઉપગથી ભિન્ન શુદ્ધપગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિક સ્વરૂપના ઉપગને શુદ્ધપયેગા કથવામાં આવે છે. પુણ્ય સંબંધી ઉપગને શુભેપગ કથવામાં આવે છે અને પાપ સંબંધી ઉપગને અશુભ પગ કથવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત્ શુદ્ધપગને આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધગુણેને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપયેગી બનવું એજ શુપગ છે. શુદ્ધ પગ એજ મેક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સકલ કર્મક્ષય કરનાર શુદ્ધપાગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપગના તાનમાં રહી અન્યજીને ઉપદેશરૂપ કર્મકારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્માઓ જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેઓ અને બ્રહ્માનન્દનું સમર્પણ કરવાને કઈ રીતે સમર્થ થતા નથી. શુદ્ધ પગથી મનુષ્ય જીવતાં બ્રહ્માનન્દમયસ્વયમેવ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy