________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપવસ્ત્રને જન્મ અને વ્યય થયા કરે છે. આત્માને જન્મ અને મરણ થાય તે આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય. આત્માની નિત્યતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ કરી શકે નહિ. આત્માની નિત્યતા સંબંધી અનેક શાસ્ત્રોમાં યુક્તિ
પૂર્વક ઘણું લખવામાં આવ્યું છે. આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જરા મરણની શ્રેણિ પ્રગટયા કરે છે. દેહ બુદ્ધિથી, નામરૂપબુદ્ધિથી આત્માનું વારતવિક સ્વરૂપ અવકાતું નથી. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મરણની ભ્રાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે તત્સંબંધી ભગવગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता न भूयः । अजोनित्यः शाश्वतोयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥ वेदा विनाशिनं नित्यं य एन मजमव्ययम्, कथंस पुरुषः पार्थ घातयति हंति कम् ॥ वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहाय जीणी, न्यन्यानि संयान्ति नवानि देही॥ २२ ॥ नैछिन्दति शस्त्राणि. नैनंदहति पावकः न चैनं क्लेदयंत्यापो, न शोषयति मारुतः ॥ २३ ॥ अच्छोऽयमदाह्यो य मक्लेद्योऽशोप्य પર નિય: સર્વશત: થાણું, સનાતન ૨૪ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, તિમય છે. પંચભૂતેથી તેને નાશ થતું નથી. માયા અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વગત છે અને અસંખ્ય પ્રદેશની પ્રવતાએ સ્થાણુવત્ સ્થિર છે. જે નિત્ય હોય છે તે અજઅવિનાશી હેય છે. આત્માનું જ્ઞાનદર્શન ચારિત્ર સ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દષ્ટિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાંતિભીતિ ટળી જાય છે. જે હજ્યમાન છે. તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી બહિરાત્મભાવ મેહ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતાં મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દ્રષ્ટિ નથી. સબલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રહ્મમાં માયાની દષ્ટિ, મહદષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમોગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંશે શુદ્ધ
For Private And Personal Use Only